
અમરેલી:સાવરકુંડલામાં
ગઇકાલે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે મહુવા રોડ પર એક હરણને
હડફેટે લીધુ હતુ. આ બનાવમાં વાહનચાલક પુરઝડપે અને બેફીકરાઇથી ગાડીને ચલાવી
હતી. જેમાં અચાનક ગીરીધર વાવ પાસે હરણ આવી ચડેલ હતુ. આ અકસ્માતમાં હરણ
મૃત્યુ પામ્યુ હતુ. બનાવ બનવાની સાથે વાહનચાલક પલાયન થઇ ગયો હતો. બાદમાં
જંગલખાતાના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ હરણને મૃત
હાલતમાં અધિકારીઓએ પી.એમ કરવા માટે ધારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે
વાહનચાલકની તપાસ પણ ચાલી રહી છે.
No comments:
Post a Comment