Tuesday, March 31, 2020

બકરીનો શિકાર કરવા પાછળ દોટ મુકતા સિંહણ કૂવામાં ખાબકી, વન વિભાગે બહાર કાઢી

કૂવામાં ખાટલો ઉતારી સિંહણને બહાર કાઢી
કૂવામાં ખાટલો ઉતારી સિંહણને બહાર કાઢી

  • સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઇ

Divyabhaskar.Com

Mar 09, 2020, 05:29 PM IST

અમરેલી: ધારીના ડાભાળીજીરા ગામની સીમમાં કૂવામાં સિંહણ ખાબકી હતી. બકરીનો શિકાર કરવા પાછળ દોટ મુકી હતી.દિનેશભાઇ ગોંડલીયા નામના ખેડૂતના ખેતરમાં ઘટના બની હતી. આ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સિંહણને કૂવામાંથી બહાર કાઢવા જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહણને બહાર કાઢી હતી. જો કે, સિંહણ બેભાન હાલતમાં હોય તેને સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

(જયદેવ વરૂ, અંમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lioness-fall-in-well-and-forest-team-take-rescue-operation-near-dhari-126945004.html

No comments: