Tuesday, March 31, 2020

ગીર પથંકના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા

Sudden changes in the atmosphere of Gir spmnath rain clouds in the sky, farmers worried

  • ઘઉં, જીરૂ અને બાજરી સહિતના પાકોમાં નુકસાનીની ભીંતિ 

Divyabhaskar.Com

Mar 10, 2020, 01:51 PM IST
ગીર સોમનાથઃ ગીર પથંકના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો છે. આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા છે. જેથી ઘઉં, જીરૂ અને બાજરી સહિતના પાકોમાં નુકસાનીની ભીંતિ સેવાઇ રહી છે. જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. 
આંબાના મોર ખરી જવાની શક્યતા
જો વરસાદ થાય તો આંબાનો મોર અને મગીયો ખરી જવાની સંભાવના છે. અને કેસર કેરી માર્કેટમાં ઓછ આવી શકે છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકો અને અનાજમાં ઘણું નુકસાન થયું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/somnath/kodinar/news/sudden-changes-in-the-atmosphere-of-gir-spmnath-rain-clouds-in-the-sky-farmers-worried-126948793.html

No comments: