Tuesday, October 5, 2010

વિદેશી પક્ષીઓનું આગમન થતાં શિકારી ટોળકી...

Source: Bhaskar News, Madhavpur   |   Last Updated 12:48 AM [IST](05/10/2010)
માધવપુર (ઘેડ) પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ આ પક્ષીઓનું આગમન થતા શિકારી ટોળકી પણ કાર્યરત થઈ ગઈ છે. હવે તંત્ર દ્વારા આ પક્ષીઓના રક્ષણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી છે.
આ અંગેની વધુ વિગત મુજબ માધવપુર (ઘેડ) પંથકમાં વિદેશી પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપી આવી પહોંચ્યા છે. વિવિધ યાયાવર પક્ષીઓનું આગમન થતા પ્રકૃતપિ્રેમીઓમાં હર્ષ છવાયો છે. પરંતુ આવા વિદેશી પક્ષીઓનું આગમન થતાની સાથે જ પક્ષીઓનો શિકાર કરનારી ટોળકી પણ કાર્યરત બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે. શિકારીઓ માછલા પકડવાના બહાના હેઠળ યાયાવર પક્ષીઓનો શિકાર કરે છે. અને તે વેંચી રોકડી કરી લે છે.
માધવપુર પંથકના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી આવા સ્થળોને વિદેશી પક્ષીઓ રહેઠાણનું સ્થાન બનાવે છે. પરંતુ શિકારી ટોળકી કાર્યરત બનતા તેના પર જોખમ ઉભુ થયું છે. હજારો માઈલની સફર ખેડી મહેમાન બનતા પક્ષીઓનો શિકારીઓ શિકાર કરતા હોવાથી પક્ષી પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-foreign-birds-come-and-hunters-group-1427484.html

No comments: