Tuesday, October 5, 2010

અડવાણા તેમજ હરિપુર ગીરમાં ધડાકા સાથે આંચકા.

Oct 04,2010
પોરબંદર /જુનાગઢ તા.૩ પોરબંદરના અડવાણા ગામે ગઇકાલે નરેન્દ્ર મોદીએ જાતે ગ્રામજનોની મુલાકાત લઇને ભૂકંપથી ભયભત બનેલાઓને હૈયાધારણા આપીને એવં જણાવ્યું હતું કે 'હું આવ્યો છું એટલે ધડાકા - ભડાકાને સાથે લેતાં જઇશ' પરંતુ મોદી ગયા બાદ ગત રાત્રે સામાન્ય ધડાકાને બદલે ભૂકંપનાં ત્રણ - ત્રણ આંચકા નોંધાતા ગ્રામજનો ફરી ભયભીત બની ગયા હતાં.આવી જ રીતે ગીર ફોલ્ટ લાઈન ફરી સક્રિય બની હોય એમ શનિવારની રાતે હરિપુર ગીર અને જલંધર તેમજ તાલાલા સુધી ૩,૧ રીકટર સ્કેલ સુધીના કુલ ત્રણ આંચકાઓ આવ્યા હતા.જેનાથી લોકો ભયભીત બની ગયા હતા અને રાતે જાગરણ કર્યુ હતુ.
ગત રાત્રે ૧૨ને ૮ મિનિટે ૨.૧ રીકટર સ્કેલનો, ૧૨ને ૫૫ મિનિટે ૧.૪ રીકટર સ્કેલનો, તથા ૨ને ૫૮ મિનિટે ૧.૬ રીકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી કચેરીએ નોંધાયું છે. ગ્રામજનોએ આખી રાત્રિ ભયભીત બનીને પસાર કરી હતી .
 અમારા જુનાગઢના પ્રતિનિધિના સંદેશા મુજબ ગીરફોલ્ટ લાઈન ફરી જાણે કે સક્રિય બની હોય એમ ગઈ કાલે તાલાલા હરિપુર અને જલંધરમાં ભેદી ધડાકા સાથે આંચકા આવ્યા બાદ શનિવારે રાતે પણ ફરી આંચકા આવ્યા હતા.જે ૩,  રીકટર સ્કેલ સુધીના હતા.રાતે દોઢ વાગ્યે અને એ પછી બે વાર મળી કુલ ત્રણવાર આંચકાઓ આવ્યા હતા.જેના કારણે લોકો ભયભીત બની ગયા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=228479

No comments: