Wednesday, October 6, 2010

સક્કરબાગ અડધી સદીથી સિંહોની વંશાવલી નિભાવે છે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:16 AM [IST](05/10/2010)
વિદેશમાં વસતા ૮૬ ગીરના સિંહોની જીનેટિક પ્યોરિટી જાળવવા જુનાગઢ ઝૂની તૈયારી.
એશિયાઈ સિંહોનાં સંવર્ધન કેન્દ્ર તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત થયેલુ જુનાગઢનું સક્કરબાગ ઝુ હવે વિદેશનાં ઝુમાં રહેતા ગીરનાં ૮૬ જેટલા એશિયાઈ સિંહોની જીનેટીક પ્યોરીટી જાળવવા કટીબધ્ધ છે. ઝુ ઓથોરીટીએ આ વિદેશમાં વસતા સિંહોની વંશાવળીનો પણ અભ્યાસ કર્યો છે.
જુનાગઢ સક્કરબાગ ઝુએ અત્યાર સુધીમાં સ્વીત્ઝરલેન્ડ, સ્વીડન, હેલસીંગી, ઈંગ્લેન્ડ, સીંગાપોર, રશીયા જેવા દેશોમાં ગીરનાં એશિયાટીક સિંહો આપ્યા છે. છેલ્લે ૧૯૯૩માં સક્કરબાગ ઝુએ વિદેશનાં એશિયાટીક સિંહોમાં ઈનબ્રીડીંગ ન થાય તે માટે સ્ટોક પુરો પાડ્યો હતો. ફરી જરૂર જણાયે નવો સ્ટોક પુરો પાડવા સક્કરબાગ ઝુની તૈયારી છે. સિંહની વંશાવળી નિભાવતુ જુનાગઢનું સક્કરબાગ ઝુ ૧૯૬૦થી જુનાગઢ સક્કરબાગ ઝુનાં સિંહ અને સિંહણનાં બચ્ચા અને ઉત્તરોત્તર જન્મ પામેલા સિંહ ક્યા ક્યાં છે. તેની પણ નોંધ રાખે છે. દરેક સિંહોનાં નામ પણ આપવામાં આવ્યા છે.
વંશાવળીમાં વંશપરંપરાગત નંબર પણ સિંહને આપવામાં આવે છે અત્યારે આ ક્રમ ૨૫૦ જેટલો થયો છે. વંશાવળીને વધુને વધુ ચોક્કસાઈ ભરી બનાવવા હવે સક્કરબાગ ઝુ આધુનીક ટેક્નોલોજીની પણ મદદ લે છે. સક્કરબાગ ઝુનાં સુપ્રિટેન્ડેન્ટ વિ.જે.રાણાનાં જણાવ્યાનુસાર માઈક્રોચપિથી નંબર આપવામાં આવે છે. જેથી ઘણી વખત સિંહને અન્ય ઝૂમાં મોકલવામાં આવે છે. તેથી નામ બદલાઈ જાય તો માઈક્રોચીપથી અપાયેલો નંબર માન્ય રાખવામાં આવે છે.
રાજ્ય સરકારની સિંહોનાં લાંબા ગાળાની સંરક્ષણ યોજના તળે જીનપુલ હેઠળનાં સિંહ રાખવામાં આવેલ છે. ઉપરાંત રેસ્કયુ સેન્ટરનાં છેલ્લા બે વર્ષમાં નવ જેટલા સિંહનાં અનાથ બચ્ચાને બચાવી લેવામાં આવ્યા છે. સક્કરબાગ ઝુનાં બ્રીડીંગ સેન્ટરમાં છેલ્લા બે વર્ષમાં સિંહનાં ૨૦ બચ્ચાનો જન્મ થયો છે અને તંદુરસ્ત રીતે તેનો ઉછેર પણ થઈ રહ્યો છે.
સિંહ સંરક્ષણ યોજના હેઠળ ઉછેરવામાં આવતા સિંહને રામપરા બરડા ઉમઠ અને આંબરડી બ્રીડીંગ સેન્ટરો પર મોકલવામાં આવશે. વિદેશનાં ઝુમાં રહેતા ૮૬ જેટલા એશિયાઈ સિંહોની જીનેટીક પ્યોરીટી જાળવવા જરૂર જણાયે નવો સ્ટોક સક્કરબાગ ઝુ દ્વારા પુરો પાડવામાં આવશે. સક્કરબાગ ઝુનો ઈતિહાસ પણ જાજરમાન છે. ૧૯૬૦માં સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય રાજ્યનાં વન વિભાગ હેઠળ લાવવામાં આવ્યું ત્યારે તેમાં ૧૬૭ જેટલા જુદા જુદા પ્રાણીઓ હતા.
સક્કરબાગ ઝુએ તેનાં નવા સ્વરૂપે ગીરનાં વનરાજ સિંહોનાં સંરક્ષણમાં આગવો અને મહત્વનો ફાળો આપેલ છે. હાલ સક્કરબાગ ઝુ ખાતે અધ્યતન સારવાર સુવિધા સાથેની હોસ્પિટલ અને ત્યજાયેલા સિંહબાળને ઉછેરવાની સુવિધાનો ઉપયોગ સિંહ સંરક્ષણનાં બહોળા પ્રમાણમાં થાય છે. એશિયાઈ સિંહોનાં પ્રજનન કેન્દ્ર તરીકે સક્કરબાગ ઝુને પસંદ કરવામાં આવ્યું છે. સક્કરબાગ ઝુનાં ભવીષ્યનાં વિકાસ માટેનો માસ્ટર પ્લાન પણ બનાવવામાં આવી રહ્યો છે.
સક્કરબાગ ઉડતી નજરે...
સસ્તન પ્રાણીઓ -૫૪૮, પક્ષીઓ-૫૦૩(૩૯જાતનાં) સરીસ્રુપ-૩૩(૧૧ જાતીના), કુલ વિસ્તાર ૮૧ હેકટર સરેરાશ પ્રવાસીઓ ૮ થી ૯ લાખ કુલ આવક ૮૧ લાખ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-from-half-century-sakkarbags-maintain-lion-1427490.html?HF=

No comments: