Wednesday, May 15, 2013

ચાંદગઢની સીમમાં પવનચક્કીથી સાવજોનો પાણી પ્રશ્ન હલ કરાયો.

ચાંદગઢની સીમમાં પવનચક્કીથી સાવજોનો પાણી પ્રશ્ન હલ કરાયો

Bhaskar News, Amreli  |  May 12, 2013, 00:01AM IST
- વર્ષો જુની બંધ ડંકી દુર કરી પવનચક્કીથી પાણી શરૂ કરાયુ

ઉનાળાની આકરી ગરમીમાં માણસ તો ગમે તે રીતે પોતાના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી લે છે. પરંતુ વન્યપ્રાણીઓની સ્થિતિ કફોડી છે અને ખાસ કરીને સાવજોની. ત્યારે અમરેલી નજીક ચાંદગઢની સીમમાં વન વિભાગ દ્વારા સાવજોની પાણી સમસ્યા ઉકેલવા પવનચક્કી દ્વારા બોરમાંથી પાણી ઉલેચવાનું શરૂ કરાયુ છે.

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજોની ટેરેટરી છેક અમરેલી તાલુકાના ચાંદગઢ સુધી વિસ્તરેલી છે. ચાંદગઢની સીમમાં સાવજો કાયમ ધામા નાખી પડ્યા હોય છે. આ સાવજો માટે શીકારને બદલે સૌથી વધુ તકલીફ પીવાના પાણીની છે. ત્યારે સાવજોનો આ પાણી પ્રશ્ન હવે સબ ડીએફઓ ભાવસાર, આરએફઓ અગ્રવાલ, આરએફઓ તુર્ક, બી.બી. રાઠોડ, ફોરેસ્ટર બી.કે. હિંગુ, વનમિત્ર અશોક ખાંખર, મેરાભાઇ ભરવાડ વગેરે દ્વારા ઉકેલવામાં આવ્યો છે.

અહિં વન વિભાગ દ્વારા વર્ષો પહેલા બોર કરાવાયો હતો અને તેના પર ડંકી હતી. પરંતુ હાલમાં આ ડંકી બંધ હાલતમાં હતી. બોરમાં પાણી હોવા છતાં સાવજોને પાણી મળતુ ન હતું. ત્યારે અહિં વન વિભાગે ડંકી દુર કરી પવનચક્કી મારફત પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે. જેને પગલે હવે સાવજોને ૨૪ કલાક પાણી મળી રહેશે.

No comments: