Wednesday, May 15, 2013

જૂનાગઢના રાધાનગરમાં દીપડો ચઢી આવ્યો : ગાયનું કર્યું મારણ.


Bhaskar News, Junagadh | May 15, 2013, 01:15AM IST
- લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા

જૂનાગઢનાં ગિરનાર દરવાજા પાસે આવેલી રાધાનગર સોસાયટીમાં ગતરાત્રિનાં એક દીપડાએ એક ગાયનું મારણ કર્યું હતું. જેની જાણ આસપાસનાં લોકોને થતાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા.

ગિરનાર દરવાજા વિસ્તાર જંગલ નજીક આવેલો હોઇ અવારનવાર વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોય છે. અને કૂતરાં, ભુંડ, ગાય જેવા પ્રાણીનો શિકાર કરી જતા રહે છે. તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં વન્ય પ્રાણીનાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે સોમવારની રાત્રે એક દીપડો ગિરનાર દરવાજા પાસે આવેલી રાધાનગર સોસાયટીમાં આવી ચઢ્યો હતો. સોસાયટીની મધ્યે આવેલા કુવા પાસે એક ગાયનું મારણ કર્યું હતું.

દીપડાએ ગાયનું મારણ કર્યાનાં સમાચાર વાયુવેગે ફેલાઇ જતાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા. દીપડો ગાયનું માથું ખાઇ ગયો હતો. અને ધડ જેમનું તેમ રહેવા દીધું હતું. આ ઘટના ૮ વાગ્યાનાં અરસામાં બનતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

No comments: