Saturday, November 30, 2019

ચોટીલા નજીક સાવજ બેલડી નહીં પરંતુ 3 સિંહની આશંકા

DivyaBhaskar News Network

Nov 21, 2019, 06:46 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પંથક ગીરના સાવજની ડણકથી ગરજી ઊઠ્યો છે. ચોબારી-રામપરા ગામની આસપાસ એક સિંહ અને સિંહણ દેખાયા હોવાની વાતને વનવિભાગે સત્તાવાર સમર્થન પણ આપ્યું હતુ઼ં. ત્યારે મંગળવારે રાત્રીના સમયે મારણ ખાતા બે સિંહ વનવિભાગના ટ્રેકીંગ કેમેરામાં જોવા મળતા આ વિસ્તારમાં બે નહીં પરંતુ ત્રણ સિંહનો પૂરો પરિવાર આવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

મંગળવારે સવારે ચોબારી અને રામપરા ગામની સીમમાં એક સિંહ અને સિંહણે મારણ કર્યું હતું અને સિંહ બેલડી ગામની સીમમાં ફરતી હોવાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતો થયો હતો. વનવિભાગ દ્વારા સીમમાં અમુક

...અનુસંધાન પાના નં. 2



અંતરે ટ્રેકીંગ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં મંગળવારે રાત્રે 10 કલાકની આસપાસ બે સિ઼હ મારણ ખાતા વનવિભાગના કેમેરામાં જોવા મળ્યા હતા. ત્યારે અગાઉ જે સિંહણ અને સિંહ જોવા મળ્યા હતા ત્યારે ચોબારી-રામપરા પંથકની સીમમાં કદાચ બે નહીં પરંતુ ત્રણ સિંહ હોવાની શક્યતા જોવા મળી રહી છે. બુધવારે જુનાગઢ વનવિભાગના મુખ્ય વનસરંક્ષક એસ.કે.શ્રીવાસ્તવ પણ ચોટીલા દોડી આવ્યા હતા. ચોબારી તેમજ રામપરાના ગ્રામજનો સાથે અંદાજે બે કલાક સુધી બેઠક યોજી હતી.

સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો સ્થાયી થશે

વનવિભાગના કર્મચારીઓ દ્વારા બંને સિંહોની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ બન્ને સિંહો છેલ્લા એકાદ અઠવાડિયાથી આ વિસ્તારમાં છે ત્યારે આ સિંહોને વાતાવરણ અનુકુળ આવી જાય તો તે સ્થાયી પણ થઇ શકે છે. એસ.કે.શ્રીવાસ્તવ, મુખ્ય વન સરંક્ષક જુનાગઢ

હાલ બે નર સિંહ દેખાયા છે, ત્રીજા સિંહ અંગે આશંકા

સૌ પ્રથમ જે વીડિયો સામે આવ્યો હતો તેમાં એક નર અને એક માદા સિંહણ હોવાનું અનુમાન હતું. તેમાં ક્ષતિ હોઈ શકે હાલ કેમેરામાં જે બે સિંહો કેદ થયા છે તે બંને નર છે. સિંહણનો વસવાટ છે કેમ તે હવે જાણવા મળશે. એચ.વી.મકવાણા, ડીસીએફ, સુરેન્દ્રનગર
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-not-an-average-bullock-but-a-3-lion-suspect-near-the-chotila-064634-5985995-NOR.html

No comments: