Saturday, November 30, 2019

સિંહના મોતથી વાડીઓમાંથી પાણીના નમુના લેતંુ વનતંત્ર

DivyaBhaskar News Network

Nov 15, 2019, 05:55 AM IST
જાફરાબાદના પાટી માણસાની સીમમાંથી ગઇકાલે વાડીમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ નથી થયુ ત્યારે વન વિભાગે આસપાસના પાણીના સેમ્પલો લઇ તપાસ શરૂ કરી છે. સિંહનો મૃતદેહ મળી આવ્યાની ઘટના ગઇકાલે જાફરાબાદના પાટી માણસામાં બની હતી. ગામની સીમમાં વાડી વિસ્તારમાંથી આશરે પાંચ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ કપાસના ઉભા પાક વચ્ચે પડયો હતો. વળી અહિં સિંહનું મોત ત્રણેક દિવસ પહેલા થયાનું અનુમાન છે. મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હતો અને બાબરકોટ નર્સરી ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરાયુ હતું. વન વિભાગ દ્વારા સિંહના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઇ છે. આસપાસની વાડીઓમાં પાણીની કુંડીમાંથી પાણીના નમુનાઓ પણ લેવામાં આવ્યા છે. પાણીમાં કોઇ પ્રકારની ભેળસેળથી સિંહનું મોત થયુ છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-forest-system-of-water-samples-taken-from-wadis-by-the-death-of-a-lion-055534-5939209-NOR.html

No comments: