Saturday, November 30, 2019

જૂનાગઢમાં સિંહ દર્શન મામલે CMએ ફરી નવો વાયદો આપ્યો

  • 2018માં જૂનાગઢમાં સિંહ દર્શનની વાત કરી હતી

Divyabhaskar.com

Nov 25, 2019, 01:16 AM IST
જૂનાગઢ: જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું. સાથે મહાબત મકબરા તેમજ ઉપરકોટ માટે પણ કરોડોની ગ્રાન્ટ ફાળવી તાલીઓ પડાવી લીધી. જોકે, જૂનાગઢ માટે મહત્વના એવા સિંહ દર્શન શરૂ કરવા મામલે સીએમએ ફરી નવો વાયદો આપ્યો છે. આ અંગે ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2018ના ઓકટોબર માસમાં સાસણની સાથે જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ માટે તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ હતી. અનેક લોકોએ આ માટે જીપ્સી ગાડીઓ પણ ખરીદી લીધી હતી. જોકે, જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાની કરેલી જાહેરાતના 1 વર્ષ બાદ પણ કોઇ કામગીરી થઇ નથી. ત્યારે અટક્યું છે કયાં? તે પ્રશ્ન તમામને મુંજવી રહ્યો છે. દરમિયાન જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ફરી નવો વાયદો આપતા ટૂંક સમયમાં સિંહ દર્શન શરૂ થઇ જશે તેવું કહ્યું હતું. જોકે, કેટલો સમય એ મામલે કોઇ ફોડ પાડ્યો ન હતો.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/cm-reaffirms-promise-of-lion-sighting-in-junagadh-126126776.html

No comments: