Saturday, November 30, 2019

જશાધાર નજીકનાં તુલસીશ્યામ જંગલમાં સિંહણનું શંકાસ્પદ મોત

  • મોતનું કારણ અકબંધ, મૃતદેહ પીએમ માટે લઇ જવાયો

Divyabhaskar.com

Nov 21, 2019, 10:08 AM IST
ઉના: જશાધાર નજીક તુલસીશ્યામનાં જંગલમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમનું મોત ક્યાં કારણથી થયું છે તેમને લઇ મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો. તેમનાં રીપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે. ગીરજંગલમાં આવેલ સુપ્રિધ્ધધામ તુલસીશ્યામ નજીક એક સિંહણ મૃત હાલતમાં પડી હોય જેમની જાણ વન વિભાગને થતાં સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઇ જશાધાર ખાતે પીએમ માટે મોકલાયો હતો. જો કે આ સિંહણનું મોત બિમારી સબબ કે પછી ઇન્ફાઇટથી થયું છે. તે તો પીએમ રીપોર્ટ બાદ જ જાણવા મળી શકશે. આ મૃતક સિંહણ પાંચથી નવ વર્ષથી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો તે જ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગીરગઢડા તાલુકાના જશાધાર નજીક ગીરજંગલમાં આવેલ દોઢીનેસ વિસ્તારમાં વહેલી સવારે એક માલધારી પર સિંહણે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી. આ વિસ્તારમાંથી જ સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ એ જ સિંહણ છે કે, તે મૃદ્દે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે તો તપાસ બાદ જ બહાર આવશે. થોડા મહિનાઓ પહેલા સિંહોનાં મોતની ઘટનાઓ બની હતી અને વન તંત્ર દોડતું થયું હતું. ત્યારે ફરી વખત સિંહણનું મોત થતાં વનતંત્રએ તપાસ શરૂ કરી છે. આમ, અવારનવાર સિંહ અને સિંહણના મોતથી સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/get-dead-body-of-lioness-near-jashadhar-range-of-una-126101558.html

No comments: