Saturday, November 30, 2019

ગીરના સિંહો બાબરા સુધી પહોંચ્યા, સાવજોના આંટાફેરાથી ખેડૂતોમાં ભય, વન વિભાગને MLAની રજૂઆત

  • સિંહોને પાંજરે પૂરી ખેડૂતોને ભયમુક્ત કરવા રજૂઆત

Divyabhaskar.com

Nov 10, 2019, 04:05 PM IST
બાબરા: બાબરામા રેવેન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીના આંટાફેરાથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. કારણ હાલ ખેતરોમાં ખેતી પાકની સીઝન પૂરજોશમા ચાલી રહી છે. જેનું રક્ષણ અને રખોપુ કરવા ખેડૂતો અને શ્રમિકો રાત ઉજાગરા કરી રહ્યા છે. તેવા સમયે બાબરા પંથકમાં વન્ય પ્રાણી સિંહના આંટાફેરા વધતા ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ પ્રશ્ને ધારાસભ્ય દ્વારા વનમંત્રીને રજૂઆત કરાઇ છે.
બાબરાના ગ્રામ્ય પંથકમાં સિંહના સગડ મળ્યા
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્યના વનવિભાગને પત્ર પાઠવી સિંહનું લોકેશન તાત્કાલિક અસરથી શોધી પાંજરે પૂરી ખેડૂતોને ભયમાંથી મુક્ત કરવા માંગણીઓ કરી છે. બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારના કરીયાણા, તાઈવદર, ખાખરીયા સહિતના સીમ વિસ્તારમાં સિંહના સગડ મળ્યા છે. તેમજ સિંહના ફોટા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે પણ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ વન્યપ્રાણીઓ ખેડૂતોના માલઢોર અને જાનમાલને નુકશાન કરે તે પહેલાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ધારાસભ્ય વિરજીભાઈ દ્વારા વન વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/see-lion-in-babara-area-so-mla-presentetion-to-forest-department-126029653.html

No comments: