Friday, April 25, 2008

અમરેલી પાસે હવે સિંહ દર્શન

Bhaskar News, Rajkot
Thursday, April 24, 2008 01:23 [IST]

કેન્દ્ર સરકારે અમરેલીના આંબરડી ખાતે આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટર પ્રિટેશન પાર્કને મંજૂરી આપી ૪.૭૪ કરોડની ફાળવણી કરી હતી. જયા મુલાકાતીઓ મુકતપણે વિહરતા સિંહોને નિહાળી શકશે જે પૈકીની ૮૦ ટકા રકમ રૂ.૩.૭૯ કરોડ ગુજરાત સરકારને કેન્દ્રએ ચૂકવી દીધી છે.

એશિયાટિક લાયન્સ સિંહો માટેનું વિશ્વભરનું એકમાત્ર આશ્રયસ્થાન એવા ગીર અભયારણ્યનો મોટો હિસ્સો અમરેલી જિલ્લાની હદોમાં પણ મળે છે અને અમરેલી એ ગીર અભયારણ્યમાં જવાનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે પ્રવાસન વર્ષ દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગે ભારત સરકારને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ મુલાકાતીઓ મુકતપણે વિહરતા સિંહોને જોઇ શકે તે માટે વાઇલ્ડ લાઇફ પરિયોજના અમલી બનાવવા રજૂઆત કરી હતી.

પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર દ્વારા આંબરડી ખાતે આ પરિયોજનાને અમલી બનાવવા રૂ.૪૭૪.૨૫ લાખની ફાળવણી કરી છે. જે પૈકીની ૮૦ ટકા રૂ.૩૭૯.૦૦ લાખની રકમ ગુજરાત સરકારને ચૂકવી પણ દેવામાં આવી છે.

આ સંદર્ભે ગુુજરાતના પ્રવાસન વિભાગના વડપણ હેઠળ ગાંધીનગર ખાતે જાન્યુઆરી-૨૦૦૮માં મળેલ બેઠકમાં એડબલ્યુએલપીઆઇ આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન પાર્કની જરૂરી ડિઝાઇન તૈયાર કરી કામના ટેન્ડરો મંગાવી રાજય સરકારની મંજૂરી મેળવી આગળ વધવા વન વિભાગોને જણાવવામાં આવ્યું છે.

કારણકે આ પ્રોજેકટનો અમલ ભારત સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો અનુસાર વાઇલ્ડ લાઇફની સંપૂણર્ જાળવણી સાથે કરવાનો હોય તેના યુટીસી અન્ડર ટેકિંગ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ તથા કમ્પલીશન સર્ટીફિકેશનની કામગીરી પૂર્ણ કરવા પણ વન વિભાગને આ બેઠકમાં જણાવવામાં આવેલ છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી ૩ કિમી અને અમરેલી-ધારી રોડથી ૬ કિ.મી.ના અંતરે આવેલ પ્રકòતિ અને પાણીની વિપુલતાથી હર્યાભર્યા આંબરડીના આ પરિયોજના માટે પસંદ થવાના ઘણા કારણો છે. તેમાં એક તે, ધારી કેશોદથી ૧૫૦ કિ.મી. જૂનાગઢથી ૧૧૫ કિ.મી. દીવથી ૬૦ કિ.મી. અને ભાવનગરથી ૧૩૫ કિ.મી.ના અંતરે રસ્તા માર્ગે આંબરડી જોડાયેલું છે.

ધારી (પૂર્વ) વન વિભાગના પરિપત્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અભ્યારણ્યો પણ આવેલ છે. આ અભ્યારણ્ય ૪૨૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ વિસ્તારને તારની મજબૂત વાડથી સુરક્ષિત કરીને પરિયોજના અમલી બનતા અહીંથી પણ પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્યજીવોને મુકતપણે વિહરતા જોઇ શકશે. આ પરિયોજના માટે અહીં ૪૦૦ હેકટર જેટલી જમીનનો ઉપયોગ થશે.

હકીકતમાં આંબરડી ગુજરાતભરથી તુલશીશ્યામ અને દીવ જતા મોટી સંખ્યાના પ્રવાસીઓના માર્ગમાં આવે છે. એમાંય વેકેશન અને દિવાળી-નૂતન વર્ષ દિવસ જેવા તહેવારો દરમિયાન આંબરડીથી પસાર થતો આ માર્ગ ભરચક બની જાય છે. આમ પણ આ માર્ગ બારેમાસ પ્રવાસીઓની અવર-જવરથી હર્યોભર્યોરહે છે. પ્રવાસીઓને પ્રિય દીવ સ્થળે જનારા મુલાકાતીઓની સંખ્યા પણ સારી એવી હોય છે.

પ્રાકòતિક સ્થળ એવું આંબરડી શેત્રુંજી નદીના બેય કાંઠે ફેલાયેલું છે. આમાં આંબરડી ગામનો વિસ્તાર ૧૫૦૦ હેકટરનો છે. પર્વતમાળા એવો આ વિસ્તાર ઘાસ અને ઝાડી-ઝાંખરાથી આરછાદિત છે.

જેથી ગીર અભયારણ્યના વિભાગીય હેટ કવાર્ટર બની રહેવાની ક્ષમતા પણ તે ધરાવે છે. આ વિસ્તારની સાવ નજીક આવેલા ધારી તાલુકાના ખોડિયાર ડેમ અને કુદરતી ધોધને કારણે અહીં બારેમાસ પાણી પ્રાપ્ય છે. આમ આ પરિયોજના સાકાર થતા ખૂબજ નયનરમ્ય એવા પ્રાકૃતિક વાતાવરણ વરચે સિંહો અને વન્ય જીવોને મુકતપણે વિહરતા જોવાનો અલભ્ય અવસર મુલાકાતીઓને પ્રાપ્ત થશે. જેથી સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો પણ મોટા પાયે ઊભી થશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/24/0804240147_wild_life_inter_pretention_park.html

No comments: