Sunday, April 27, 2008

ઉના તાલુકાના ખીલાવડમાં ફરી પાંચ સિંહોએ ચાર રેઢિયાળ ઢોરનું મારણ કયંર્ુ

ઉના તા.૨૫
ઉના પંથકમાં ગીરની બોર્ડરના ગામડાઓ જાણે કે ગીર અભ્યારણ બની ગયા હોય તેમ ગમે ત્યારે જંગલમાંથી સિંહ માનવ વસાહત તરફ આવી જાય છે. અને રેઢીયાળ માલ ઢોરનું મારણ કરી નિરાંતે ભોજન આરોગી ફરી પાછી મૂળ જગ્યા જંગલમાં પરત ચાલ્યા જાય છે.

ફરી પાછા એક સાથે પાંચ વનરાજાઓ ખીલાવડમા આવી ચડી એક સાથે ચાર રેઢીયાળ માલ ઢોરોનું મારણ કરી નિરાંતે મીજબાની માણી હતી ત્યારે હવે તો ગીરની બોડર નજીક આવતા ગ્રામ્ય પંથકમાં પહેલા કયારેક સિંહો ભુલા પડી જતાં પરંતુ હવે સિંહો ભુલા પડતા નથી. પરંતુ સાંજનો સમય થાય કે સિંહોની કણક ગ્રામજનોના કાને સાંભળવા મળતી હોય છે અને સિંહો પણ તેનો જાણે કે નિત્ય ક્રમ બનાવી દીધેલ હોય તેમ જંગલમાંથી માનવ વસાહત તરફ આવી જાય છે અને ઘણી વખત ગ્રામજનો મોડી રાત્રીએ બહાર હોય અને ગામમાં સિંહોનો મુકામ હોય ત્યારે ઘણી વખત ગ્રામજનોએ આખી રાત બહાર રહેવું પડતું હોય છે. કારણ કે સિંહોએ પોતાનો મુકામ ગામમાં જ રાખ્યો હોય ત્યારે ગ્રામજનો સતત ભયનાં ઓથારા નીચે રાતવાસો કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે ગઇકાલે સવારે એકી સાથે છ સિંહોનું ટોળું ગીરગઢડાથી દ્રોણ જતાં રસ્તા પાસેથી પસાર થતું હોવાનું આ વિસ્તારનાં લોકોમાંથી જાણવા મળી રહ્યંુ છે. ત્યારે આ ગીરગઢડાથી દ્રોણ જતાં રસ્તા પર મોટા ભાગે વાહન ચાલકો તથા રાહદારીઓની વ્યાપક અવર જવર શરૃ હોય ત્યારે વહેલી સવારે જંગલમાં પરત જતાં સિંહો જોઇને લોકોમાં ફફડાટ ફેલાયો જોવા મળી રહ્યો છે. ત્યારે સિંહોનું માનવ વસાહત તરફ આવતા અટકાવવા વન ખાતું પણ લાચાર હોય સિંહોને માનવ વસાહત તરફ જાણે ધરબો થઇ ગયો હોય તેમ દિવસ દરમિયાન અમુક માનવ વસાહત તરફ આવવાનું ચુકતા નથી અને હવે તો સિંહો માનવ વસાહત તરફ એકાદ દિવસ નથી આવતા તો ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા લોકો ઘણી વખત જંગલ તરફ સિંહો જોવા જાય છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72447&Keywords=Sorath%20gujarati%20news

No comments: