Friday, April 25, 2008

પસવાડા ગામના ડેમમાંથી ૧૦ વર્ષની માદા મગરનો મૃતદેહ મળી આવ્યો

જૂનાગઢ, તા.૨૦
જૂનાગઢ નજીકના પસવાડા ગામ ખાતે આવેલ ૬૦ ફૂટ ઉંડા ડેમમાંથી આજે દસ વર્ષની માદા મગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગે મૃતદેહને બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપેલ છે. આ માદા મગરનું બે દિવસ પહેલા માંદગી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

આ વિશેની વન વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ વન વિભાગની ડૂંગર ઉત્તર રેન્જ હેઠળ આવતાં જૂનાગઢ નજીકનાં પસવાડા ગામ પાસેના ૬૦ ફૂટ ઉંડા ડેમમાંથી આજે સવારે સાત ફૂટ લાંબી દસ વર્ષીય માદા મગરનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા આ મગરનું મૃત્યુ થયું હોવું જોઇએ. ગત રાત્રે આ વિશેની જાણ થતાં ડી.સી.એફ. વી.જે. રાણા અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાની સુચનાથી આર.એફ.ઓ. એસ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર વી.એલ. દોમડીયા તથા વીજય યોગાનંદી સહિતના સ્ટાફે ગઇકાલ સાંજથી જ આ ઓપરેશન શરૃ કરી દીધું હતું. આખી રાત સમગ્ર પાણીમાં શોધખોળ કર્યા બાદ આજે વહેલી સવારે મૃતદેહ મળી આવતાં મૃતદેહને પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છ

No comments: