Tuesday, April 29, 2008

૮ દિવસના સિંહબાળોને પાંજરામાં વિહરતા મૂકાશે

રાજકોટ તા,ર૮
મહાપાલિકા સંચાલિત આજી ઝૂ ખાતે સિંહણ મોજ અને મસ્તીને અવતરેલા પાંચ બચ્ચા પૈકી બે બચ્ચા નર અને ત્રણ માદા છે. ત્રણ માદા આર્થાત ત્રણ બાળ સિંહણ ૬૮ દિવસની થઈ ગઈ હોઈ આવતીકાલે મેયર સહિતના પદાધિકારીઓની હાજરીમાં પાંજરામાં વિહરતી મૂકવામાં આવશે. જયારે બે નરસિંહ હજૂ ૪૮ દિવસના જ હોઈ બાદમાં વિહરતા મૂકાશે. મસ્તીની સંતાનો એવી ત્રણ બાળ સિંહણોની જન્મ રાશી કર્ક આવી છે. આથી આ રાશી પરથી ટૂંકમા ત્રણેયનું નામ પાડવામાં આવશે. પાંચેય બચ્ચા લોન પર લવાયેલી સિંહણના હોઈ ભવિષ્યમાં બે બચ્ચા જૂનાગઢ ઝૂને આપવા પડે તેમ છે. આજી ઝૂં ખાતેના પ્રાણીઓને દત્તક માટેની યોજના પણ ટૂંકમાં અમલી બનાવાશે. આ આ અંગેની ફાઈલ પણ મ્યુ. કમિશનર સમક્ષ મૂકવામાં આવી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=48&NewsID=72934&Keywords=Rajkot%20City%20Gujarati%20News

No comments: