Saturday, April 26, 2008

સિંહોએ ૧૨ ફૂટની દીવાલ કુદી શિકાર કર્યાનો અદ્ભુત બનાવ

જૂનાગઢ,તા.રપ
નવ ફુટની દિવાલ અને ત્રણ ફુટનુ ફેન્સીંગ કુદીને છેલ્લા બે દિવસથી બાબરા વીડીના સિંહોનું ટોળુ માળીયા (હાટીના) પાંજરાપોળની ગાયોનું મારણ કરતા હોવાના બનાવે વન ખાતાને બરાબરનું કાર્યરત તો કરી દીધુ છે પણ છ થી આઠ યફુટથી વધુ ઉંચાઈની દિવાલ કે આડશ ન કુદી શકતા સિંહ ૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદી બબ્બે દિવસ મારણ કર્યાના બનાવથી વનતંત્રના અધિકારીઓ પણ ચોકન્ના બની ગયા છે.

જયાં છેલ્લા એકાદ દશકાથી ગિરમાંથી સ્થળાંતર કરીને આશરે ર૦ થી વધુ સિંહો સ્થિર થયા છે એવા બાબરા વીડી વિસ્તારથી આશરે આઠ કે દશ કી.મી. દુર વીરડી ગામ પાસે આવેલ માળીયા (હાટીના) પાંજરાપોળમાં છેલ્લા બે દિવસથી હાહાકારનું એકમાત્ર કારણ છે ડાલામથા સિંહો.

આ પાંજરાપોળમાં ૩રપ પશુઓ (ગાયો અને વાછરડા તથા ધણખુટ) છે. ગત બુધવારે રાત્રે આ પાંજરાપોળમાં ત્રણ ડાલામથા સિંહોએ લગભગ એકાદ કલાક સિંહોએ ૧૨ સુધી હાહાકાર મચાવી દીધો હતો. માળીયા પાંજરાપોળના માનદમંત્રી તથા માળીયા વિસ્તારના અગ્રણી સેવાભાવી કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીએ સતત બે રાત સુધી સિંહોએ પાંજરાપોળમાં મચાવેલા હાહાકાર અં
સંદેશ કાર્યાલય - જૂનાગઢ ખાતે આવી વર્ણન કરતા જણાવ્યુ હતુ કે બુધવારે રાત્રે બાર વાગ્યાના સુમારે એક મોટો (નર) સિંહ પાંજરાપોળની નવ ફુટની દિવાલ તથા ત્રણ ફુટની ફેન્સીંગ મળી ૧ર ફુટની આડશ કુદીને પાંજરાપોળની અંદર ખાબકયો. આ સિંહ સીધો જ એક છુટી હરતી ફરતી ગાય પર કુદયો. આ દરમ્યાન દિવાલની બહાર ઉભેલ ૧ સિંહ તથા બીજી એક સિંહણ પણ ૧ર ફુટની આડશ કુદીને અંદર ખાબકી. આ ત્રણ સિંહના ટોળાએ બે ગાયોને નિશાન બનાવી. એક સિંહે તો ગાયના ઉપરના ભાગેથી ગળુ પકડી એવી તો પછાડી કે ગાય તરફડી મરી ગઈ. આ દરમ્યાન અંદરના એ સિંહોએ બીજી એક ગાયનો શિકાર કર્યો. આ દરમ્યાન અંદર રહેતા પાંજરાપોળના કર્મચારીઓ જાગી ગયા અને હાકલા પડકારા કર્યા. જેથી એ ત્રણે વિકરાળ પ્રાણીઓ ગાયોના મારણ મુકીને ૧ર ફુટની ફેન્સીંગ સાથેની દિવાલ કુદીને નાસી ગયા. જેથી બધા કર્મચારીઓને હાશકારો થયો. પણ, આ હાશકારો લાંબો ન ટકયો. ગુરૃવારની રાત્રે સીંહોનું એ ટોળુ પાછુ પાંજરાપોળ નજીક ધસી આવ્યુ અને એ ત્રણે સિંહોએ ફરી દિવાલ - ફેન્સીંગ કુદીને પાંજરાપોળમાં હાહાકાર મચાવી દીધો. એ વખતે રાત્રે તો ત્યાં ઘણાબધા લોકો જાગતા બેઠા હતા. એ ત્રણેય સિંહો (બે નર સિંહ અને એક મોટી સિંહણ) એક પછી એક ગાય પર કુદતા રહ્યા. લોકો અંદરથી ચિચીયારીઓ પાડતા રહ્યા. ચિચીયારીઓ વધે એટલે સિંહો ગાયને પડતી મુકી બીજી ગાય પર તુટી પડતા રહ્યા. આ રીતે એ વિકરાળ સિંહોએ ચાર - ચાર ગાયોનું મારણ કર્યુ. એક એક ગાય તરફડી - તરફડી મરતી રહી. વિકરાળ ત્રાડ.. સાથે અણીદાર નહોર (નખ) ગાયના શરીરમાં ઉતારી દઈ. આખો સિંહ ગાયના શરીરે ચોંટી જાય અને પછી મોંના અણીદાર દાંત ગાયની ડોકમાં એવા તો ભીંસી દે કે ગાય થોડીવાર કુદકા મારી શાંત પડી પડી જ જાય. ચોકીદાર અને કર્મચારીઓની ચિચીયારીઓ વચ્ચે સિંહોના ટોળાએ ચાર ગાયને ત્રીસથી ચાલીસ મીનીટમાં પુરી કરી નાખી અને એક વાછરડાને પકડી તેનો શિકાર કર્યો જે દરમ્યાન ચોકીદારોએ લાકડી સાથે સિંહોને ભય પમાડવાનો પ્રયાસ કરતા મોટા નર સિંહ વાછરડાના દેહને ખંભા પર મુકી ૧ર ફુટની આડશ કુદવા ખુબ કુદકા માર્યા પણ એ પ્રયાસ નિષ્ફળ જતા એ સિંહોનુ ટોળુ માણસોની ખુબ ચીચીયારીઓ બાદ ગાયોના મારણને મુકી ૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદીને નાસી ગયા.

૧ર ફુટની દિવાલ - ફેન્સીંગ કુદીને પાંજરાપોળમાં ખાબકેલા સિંહોના ટોળાએ દોઢ થી બે કલાક ગુરૃવારે રાત્રે મચાવેલો હાહાકાર એટલો તો ખોફનાક હતો કે પાંજરાપોળના ચોકીદારો સહીતના કર્મચારીઓએ બીજા જ દિવસે માળીયા (હાટીના) ખાતે આવી તેમનો પરિવાર પાંજરાપોળની નોકરી છોડી રહ્યો હોવાની જાણ કરી દીધી.

આવી સ્થિતિથી ત્રસ્ત બનેલા એ પાંજરાપોળના માનદ મંત્રીએ તત્કાલ રાજયના વન મંત્રીને લેખિતમાં એવી જાણ કરી કે આ વિસ્તારના જંગલમાંથી સિંહો બહાર નિકળી ખેડુતોમાં હાહાકાર મચાવે છે. આ સિંહો જંગલ બહાર ન નિકળે તેવા તત્કાલ પ્રયાસો હાથ ધરવા માંગણી કરી છે. જો આમ નહીં થાય તો પોતે ગ્રામજનોને સાથે રાખી અહિંસક આંદોલનનો માર્ગ લેશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=72242&Keywords=Sorath%20Gujarati%20News

No comments: