Friday, April 25, 2008

દલખાણીયા સેમરડીમાં વનરાજોનું 'ટોળુ' ત્રાટકયું : બે ભેંસનું મારણ કર્યુ

ધારી / અમરેલી તા. ૨૪
ધારી તાલુકાના દલખાણીયા સેમરડી ગામે આજે સવારે ૯ કલાકે ૧૨ વનરાજોનું એક ટોળું ત્રાટકયું હતું.સવારે વનરાજોનું ટોળું ત્રાટકતા ગામમાં ભય વ્યાપી ગયો હતો. વનરાજોના આ ટોળાએ દલખાણીયા સેમરડીના દિલીપ મહમદ બ્લોચની બે ભેંસોનું મારણ કર્યુ હતું ભેંસના દલખાણીયા સેમરડીમાં શિકાર બાદ મોડે સુધી વનરાજોના ટોળાએ ગામમાં જ પડાવ નાખતા ભય વ્યાપી ગયો હતો. ક્રાંકચમાં ત્રણ પશુનું મારણ : લીલીયાના ક્રાંકચ ગામે રહેતા સમાભાઇ નાજાભાઇ રબારી તેમજ મધુભાઇ હાથીભાઇ ખુંમાણના ખેતરમાં સાવજોએ ત્રાટકી ત્રણ ભેંસોનું મારણ કરી મીજબાની માણી હતી. જયારે વાઘણીયા નજીક બે સિંહોએ એક નિલ ગાયનો શિકાર કર્યો હતો.દીપડાને પકડવા પાંજરૃ બે દિવસ પૂર્વે ધારીના મીઠાપુર નકિક ગામે રહેતા કોળી યુવાન ઉપર એક દીપડાએ કરેલ હુમલા બાદ તે દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે પાંજરૃ મુકયું છે. જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=71979&Keywords=Saurashtra%20Gujarati%20News

No comments: