Saturday, April 30, 2011

ખાંભા નજીક સીમમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો.

Source: Bhaskar News, Khambha
ખાંભા પંથકમાં બે સિંહણના મોત જેવા માઠા સમાચાર વચ્ચે ખાંભા તાલુકામાં જ એક સિંહણે બે સિંહ બાળને જન્મ દીધાની ઘટના બનતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ છે. મોટાબારમણની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. જંગલખાતુ બચ્ચાના રક્ષણ માટે વિશેષ તકેદારી દાખવે તે જરૂરી છે.
પ્રકૃતિ તેનો નિયમ બખુબી નિભાવ્યે જાય છે. જન્મ અને મરણનું પ્રકરણ સંતુલિત રીતે ચાલ્યે રાખે છે. ખાંભા પંથકમાં કમસોકમ સિંહની બાબતમાં તો ખુબ જ ટુંકા સમયમાં આ સંતુલન નજરે પડ્યું. ખાંભાના કંટાળાની સીમમાં ત્રણ દિવસ પહેલા એક સાથે બે સિંહણના મોત થયાની ઘટના તાજી છે ત્યાં જાણે આ બંને સિંહણની ખોટ ભરપાઇ થતી હોય તેમ ખાંભા પંથકમાંથી જ બે સિંહ બાળના જન્મના સમાચાર આવ્યા છે.
ખાંભા તાલુકાના મોટાબારમણ ગામની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં એક સિંહણ બે નવજાન સિંહ બાળ સાથે નઝરે પડી છે. આ બંને સિંહ બાળનો જન્મ એક અઠવાડીયા પહેલા જ થયો હોવાનું લાગી રહ્યું છે. અહિં સિંહણ બચ્ચાને છોડી દુર પણ જતી નથી. આજ છતાં સ્થાનિક લોકોનું ધ્યાન તેના તરફ ગયું છે.જંગલ ખાતા દ્વારા આ સિંહ બાળની સુરક્ષા માટે તકેદારીના પગલા લેવાય તે જરૂરી છે. સિંહ બાળ મોટા થવાનો દર ઘણો નીચો છે અને હાલમાં કાળજાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વનતંત્ર જાગૃત રહે તેવી પ્રકૃતિપ્રેમીઓની માંગણી છે.
વનતંત્રની બેદરકારીથી નીલગાયનું મોત -
ખાંભા તાલુકાના જીવાપર ગામે ગઇકાલે રવજીભાઇ આણંદભાઇ સુહાગીયાની વાડીમાં એક નીલગાય કુવામાં પડી ગઇ હતી. જંગલખાતાના કર્મચારીઓને આ બારામાં જાણ કરાતા તેનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. વનકર્મચારીઓએ ઘાયલ નીલગાયને કુવામાંથી બહાર કાઢી ત્યાં જ મુકીને ચાલ્યા ગયા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-give-two-childs-birth-near-khambha-1975334.html

No comments: