Saturday, April 30, 2011

જૂનાગઢઃ જીવ બચાવવા તેઓ 2 કલાક ૮ સિંહ સામે ઝઝૂમ્યા.

Source: Manish Trivedi, Rajkot
જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના અને વીરડી ગામ વચ્ચે આવેલા ગૌશાળા પાસે ગત મોડી રાત્રીનાં ૮ સિંહનું ટોળુ ધસી આવતા ગૌશાળામાં રહેલી ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી.
સદનસીબે ગૌશાળામાં કામ કરી રહેલા દસેક જેટલા કર્મચારીઓને સિંહોનાં ટોળા આવ્યાની જાણ થતા તેઓ તુરંત લાકડી, મશાલ વગેરે લઇ સાવજોનાં ટોળાને ભગાડવા પ્રયાસો શરૂ કર્યા હતા.
બે કલાકની ભારે જહેમત બાદ સિંહોનું ટોળુ અંતે ગૌશાળાએથી જંગલમાં જતું રહ્યું હતુ. અગાઉ એક વખત આવી રીતે સિંહોનાં ટોળા ગૌ શાળાએ ધસી આવી ચાર ગાયોનું મારણ કર્યું હોવાથી ગૌશાળામાં કર્મચારીઓ રાત્રીનાં સમયે જાગતા રહે છે. કર્મચારીઓની સજાગતાથી સિંહોને મારણ કર્યા વગર પરત જંગલમાં જાવું પડ્યું હતુ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-1155-1989970.html

No comments: