Friday, May 30, 2014

ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં.

Bhaskar News, Babra | May 09, 2014, 00:27AM IST
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
- બાબરાનાં પાનસડામાં લીમડાના વૃક્ષમાંથી ઝરતા પાણીથી કૂતુહલ
- ’ પથ્થરોની વચ્ચે આવેલો આ લીમડો આજદિન સુધી સુકાયો નથી

બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે એક લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય લોકોમા કુતુહલ ફેલાયુ છે. અહી અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ લીમડાના વૃક્ષમાથી નીકળતા પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે આ પાણીના ઉપયોગથી અનેક અસાધ્ય રોગો પણ મટી જાય છે. પાનસડા ગામે ખોડિયાર માતાજીના સ્થાનકે એક લીમડાનુ વૃક્ષ આવેલુ છે.
 
આ વૃક્ષમાથી વર્ષોથી પાણી ઝરી રહ્યું છે. અહી આવતા આસપાસના શ્રધ્ધાળુઓએ જણાવ્યુ હતુ કે લીમડાના વૃક્ષમાથી ઝરતા આ પાણીનો ઉપયોગ ચરણામૃત તરીકે કરવામા આવે છે આ પાણીથી અસાધ્ય રોગો પણ દુર થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. અહી દિવસ દરમિયાન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય આ પાણી લોકો અમદાવાદ, મુંબઇ, સુરત સુધી પોતાના સગા સબંધીઓને પણ બોટલોમા ભરીને મોકલી રહ્યાં છે.
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
આ અંગે દિનેશભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે પોતે રીક્ષાનો ધંધો કરતા હેાય વર્ષોથી ગોઠણનો દુખાવો થતા રીક્ષા ચલાવવામા પણ મુશ્કેલી પડતી દવાઓ કારગત ન નીવડી ત્યારે આ પાણી પીધા બાદ દુખાવામાથી કાયમી છુટકારો મળ્યો હતો. પાનસડાના લક્ષ્મણભાઇ વઘાસીયાએ જણાવ્યુ હતુ કે તેઓ પ૦ વર્ષથી આ નજારો જોતા આવે છે. લીમડાનુ વૃક્ષ પથ્થરોની વચ્ચે આવેલુ છે તેમ છતા આજદિન સુધી આ વૃક્ષ સુકાયુ નથી. સામાન્ય રીતે વૃક્ષો પર પાણી રહે તો વૃક્ષ સડી જાય છે પરંતુ આ લીમડાનુ વૃક્ષ અડીખમ ઉભુ છે. તો મંદિરના મહંત હરીઓમદાસે આ માતાજીના આશિર્વાદ હોવાનુ જણાવ્યુ હતુ. હાલ તો લોકો શ્રધ્ધાપુર્વક આ લીમડામાથી ઝરતુ પાણી પી રહ્યાં છે.

No comments: