Friday, May 30, 2014

ભેરાઇમાં રેલ્વે ફાટક તો શરૂ કરો...

Bhaskar News, Rajula | May 21, 2014, 00:49AM IST
ભેરાઇમાં રેલ્વે ફાટક તો શરૂ કરો...
- માંગ : અહી દરરોજ ૧૦ થી ૧પ માલગાડી પસાર થાય છે : લોકોને અકસ્માતની ભિતી
- માનવરહિ‌ત ફાટક હોય મોટી દુર્ઘટના સર્જા‍શે તો જવાબદાર કોણ ? ઉઠતા સવાલ

રાજુલા તાલુકાના ભેરાઇ ગામના પાદરમાથી રેલ્વે લાઇન પસાર થાય છે. અહી અગાઉ ફાટક હતુ પરંતુ કોઇ કારણોસર તેને બંધ કરી દેવામા આવ્યુ છે. હાલ અહી માનવરહિ‌ત ફાટક ઉભુ છે. અહીથી દરરોજ ૧૦ થી ૧પ જેટલી માલગાડીઓ પસાર થાય છે. ત્યારે અહીથી પસાર થતા લોકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે. અવારનવાર રેલ્વે તંત્રને રજુઆત કરવામા આવી હોવા છતા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં ફાટક ક્યારે બનાવશે તેની રાહ જોવાઇ રહી છે.

રાજુલા પંથકમાં અનેક ખાનગી ઉદ્યોગો કાર્યરત છે. અહીના ભેરાઇ ગામના પાદરમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે અહી માનવરહિ‌ત ફાટક આવેલુ છે. ત્યારે અહીથી દરરોજ લોકો પોતાના માલઢોર લઇને પસાર થાય છે. આ ઉપરાંત અહી વાહન વ્યવહાર પણ મોટા પ્રમાણમા શરૂ હોય છે. ત્યારે અહી લોકોને અકસ્માત થવાની ભિતી સતાવી રહી છે. અગાઉ અહી રેલ્વે ફાટક કાર્યરત હતુ પરંતુ તેને બંધ કરી દેવામા આવ્યુ છે.
 
અહી માનવરહિ‌ત ફાટક ઓળંગીને વાડી ખેતરોમા જતા ખેડુતો તેમજ માલઢોર લઇને પસાર થતા માલધારીઓને ભારે અગવડતા પડી રહી છે. હાલ તો અહી માનવરહિ‌ત ફાટક હોય જેના કારણે કોઇ મોટી દુઘર્ટના સર્જા‍શે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે. ત્યારે રેલ્વે તંત્ર દ્વારા તાકિદે આ પ્રશ્ને યોગ્ય કરી અહી રેલ્વે ફાટક પુન: શરૂ કરવાની કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

No comments: