Friday, May 30, 2014

સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત.

Raju Mesuria, Amreli | May 13, 2014, 00:09AM IST
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
- ગીરના સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન
- વિટંબણા - દાયકાઓ પહેલા સરકારે ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કર્યુ હતુ
 
ગીર જંગલનુ પ્રાકૃતિક સૌદર્ય નદી, ડુંગરાળો, લીલાછમ વૃક્ષો, પશુ પક્ષીઓથી તો ખીલી ઉઠે જ છે. પરંતુ જો ગીરમાં નેસડાઓ ન હોય તો આ સૌદર્ય અધુરૂ લાગે. આવુ જ કંઇક હાલ ગીર જંગલમા જોવા મળી રહ્યું છે. દાયકાઓ પહેલા સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. બસ ત્યારબાદ જંગલમા નેસડાઓ ઓછા થવા લાગ્યા. હાલ ગીરપુર્વમા પણ નેસડાઓની સંખ્યા ગણીગાંઠી જોવા મળી રહી છે. ત્યારે જેવી રીતે જંગલમાથી માલધારીઓએ નેસડા છોડી અન્ય સ્થળે વાટ પકડી છે તેવી જ રીતે હાલ સાવજોએ પણ રેવન્યુ વિસ્તાર તરફ વસવાટ વધાર્યો હોવાનુ જોવા મળી રહ્યું છે.

ગીર જંગલમા સાવજોની ગર્જનાઓ અને પક્ષીઓના કલરવ વચ્ચે નેસડાઓમા માલધારીઓ અનેક વિટંબણાઓનો સામનો કરી કુદરતના ખોળે જીવન વ્યતિત કરી રહ્યાં છે. પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરમાં દાયકાઓ પહેલા નેસડાઓ ધમધમતા હતા. પરંતુ ૧૯૭૦ બાદ સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. ધીમેધીમે ગીર જંગલમાથી નેસડાઓની સંખ્યા ઘટી ગઇ અને હાલમાં ગણ્યાંગાંઠયા નેસડાઓ બચ્યા છે. માલધારીઓ અનેક રીતે વનવિભાગને મદદરૂપ બને છે. જંગલમા કોઇ વન્યપ્રાણી બિમાર હોય તો તુરત વનવિભાગને જાણ કરે છે. આ ઉપરાંત દવની ઘટના બને તો દવને ઠારવામા પણ મદદ કરે છે.

આ ઉપરાંત જંગલમા થતી શિકારની કોઇ શંકાસ્પદ પ્રવૃતિ અંગે પણ તેઓ વનવિભાગને માહિ‌તગાર કરી જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા કરવામા મદદરૂપ બની રહ્યાં છે. તો સામે પક્ષે વનવિભાગ દ્વારા તેઓને થોડી કનડગત પણ કરવામા આવતી હોવાનુ ફરિયાદો પણ ઉઠી રહી છે. તેમછતા તેઓ દ્વારા જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા બાબતે પુરતુ ધ્યાન આપવામા આવી રહ્યું છે. સાવજો દ્વારા ભેંસનુ મારણ કરવામા આવે તો સરકાર દ્વારા માત્ર આઠેક હજાર રૂપિયાની સહાય ચુકવવામા આવે છે. આમ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હાલ થોડા ઘણા નેસડાઓમા માલધારીઓ વસવાટ કરી રહ્યાં છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરના હડાળાનેસ, અરલનેસ, કાણેકનેસ, ખજુરીનેસ, માંડવીનેસ, દોઢીનેસ, ભીમચાસનેસ, રાજસ્થળીનેસ, આંસોદરીનેસ, સાપનેસ, બલીયાડનેસ, વડસલીનેસ, કાશીયાનેસ જાંબુરડીનેસ, ખીમાગાળીનેસ, સુવરડીનેસ, સાપુરનેસ, સુડાવી, સુડાવો, ધામણીયા, લપટણી, વાંકાજાંબુ, રૂસાળી, બાણેજ, કરૂણાપાન, ઘોડાવડી, રૂપાપાટ, છોડવડી, નાના મોટા ગોળાનેસ, ભુતડાનેસ, ગુપ્તીનેસ, પારેવાનેસ સહિ‌ત નામોના અનેક નેસડાઓ આવેલા છે. ત્યારે સરકાર દ્વારા નેસડાઓમા વસવાટ કરતા માલધારીઓને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવે તે ઇચ્નીય છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
નેસડાઓ ઘટતા સાવજોએ પણ સ્થળાંતર કર્યુ ?

દાયકાઓ પહેલા સાવજો કયાંય રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા ન હતા. નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવતાની સાથે જ ધીમેધીમે સાવજોએ પણ જાણે જંગલમાથી રેવન્યુ વિસ્તાર તરફ વાટ પકડી હોય તેમ જોવા મળી રહ્યું છે. ગીરપુર્વના જંગલમાથી સાવજો લીલીયા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને છેક અમરેલીના ચાંદગઢ નજીક પહોંચી ગયા છે. નેસડાઓની સંખ્યા ઘટવાની સાથે માલઢોર પણ ઓછા થતા સાવજોને અપુરતો ખોરાક મળતો હોય જેના કારણે સાવજો નવા રહેઠાણની શોધમા નીકળી ગયા હોય તેવા કારણની પણ શકયતા જોવાઇ રહી છે.

No comments: