Friday, May 30, 2014

ભેરાઇમાં માલગાડી હડફેટે સાવજોના કમોત અટકાવવા રજૂઆત.


Bhaskar News, Khambha | May 16, 2014, 01:35AM IST
- આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

રાજુલા તાલુકાના ભેરાઇ ગામે અવારનવાર માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટના બનતા સિંહપ્રેમીઓમા રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વનવિભાગ, રેલ્વે તરફથી સાવજોની સુરક્ષા અંગે કોઇ નકકર કાર્યવાહી કરવામા આવતી ન હોય ખાંભાના આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી યોગ્ય તપાસ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

સિંહપ્રેમી અને આરટીઆઇ એકટીવીસ્ટ યુસુફભાઇ જુણેજા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયુ છે કે રાજુલા તાલુકાના ભેરાઇ ગામ નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે અવારનવાર સાવજોના કમોત થઇ રહ્યાં છે. ત્યારે વનવિભાગ કે રેલ્વે દ્વારા સાવજોની સુરક્ષા માટે કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામા નથી આવતી.
 
તેઓએ શંકા વ્યકત કરતા જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે. આ વિસ્તારમાં માઇનીંગના નિયમોનુ પણ ઉલ્લંઘન કરવામા આવી રહ્યું છે. તેમના પર પણ અંકુશ લાદવાની જરૂરિયાત છે. આ વિસ્તારમા શિકારની પ્રવૃતિ પણ વધેલી હોય તેમ લાગી રહ્યું છે. વિસ્તરણ રેંજને નોર્મલ રેંજ સાથે જોડી દેવા પણ તેમણે માંગણી કરી છે.

No comments: