Friday, April 8, 2016

અમરેલીથી કનકાઇ જવા એસટી સુવિધા આપવા માંગ

  • DivyaBhaskar News Network
  • Apr 08, 2016, 12:36 PM IST
અમરેલીકુંકાવાવ અને વડીયાના ધારાસભ્ય પરેશ ધાનાણીને અમરેલીના સીનીયર સીટીઝન અને શહેરીજનોએ અમરેલીથી કનકાઇ જવા-આવવા માટે બસ સેવા શરૂ કરવવા માંગ કરી હતી. કનકાઇ જવા આવવા માટે એક પણ બસની સુવીધા નથી. જે બાબતને ધ્યાને લઇ ધારાસભ્યે અમરેલી એસટી ડિવીઝન નિયામકને લેખીત રજુઆત કરી હતી.

અમરેલીના શહેરીજનાનો ચૈત્રી નવરાત્રી દરમિયાન કનકાઇમા દર્શને જવા માટેનો ઘસારો વધુ હોય છે. અને ત્યા જવા માટે એક પણ બસની સુવીધા અમરેલી એસટી ડિવીઝન તરફથી કરવામા આવી નથી. જેના કારણે લોકોને ત્યા જવા માટે જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

No comments: