Friday, April 8, 2016

અમરેલીઃ વડલીના આધેડનું ઝેરી મધમાખી કરડતાં મોત થયું

અમરેલીઃ વડલીના આધેડનું ઝેરી મધમાખી કરડતાં મોત થયું
  • Bhaskar News, Amreli
  • Apr 08, 2016, 01:34 AM IST
અમરેલીઃ અમરેલી જિલ્લામા વારંવાર ઝેરી મધમાખીઓ કરડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજુલા તાબાના વડલીના આધેડ સીમમા ગાયો ચરાવવા ગયા હતા. ત્યારે ઝેરી મધમાખી કરડતા તેમનુ મોત નિપજ્યુ હતુ. આ બાબતે પોલીસ મથકમા જાણ કરવામા આવી હતી.  
 
- જિલ્લામા ગીરકાંઠાના અનેક ગામોમાં ઝેરી મધમાખીઓનો ઉપદ્વવ

મધમાખી કરડવાથી મોતની આ ઘટના રાજુલા તાલુકાના વડલી ગામની સીમમા બની હતી. વડલી ગામે રહેતા ભગાભાઇ લખમણભાઇ (ઉ.વ.70) સાંજના સમયે વડલી ગામની સીમમા ગાયો ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. તેઓના મો પર ગંભીર રીતે ડંખ માર્યા હતા. જેથી તેઓની ગંભીર ઇજા પહોચી હતી. તેઓને ગંભીર ઇજા થતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. તેઓને હોસ્પીટલ ખસેડયા હોય તેઓને ફરજ પરના ડોક્ટરે તેઓનુ મૃત જાહેર કર્યા હતા.

No comments: