Tuesday, May 31, 2016

ગીરનાર જંગલમાં સિંહ દર્શનની મંજુરી માટે સાંસદનાં પ્રયાસો જરૂરી

  • DivyaBhaskar News Network
  • Jan 02, 2016, 03:56 AM IST
સાસણનીમાફક જૂનાગઢનાં પણ ગીરનાર વિસ્તારમાં સિંહો વસવાટ કરતાં હોય ત્યારે પર્યટકો ગીરનારનાં જંગલમાં પણ સિંહ દર્શન કરી શકે એવી સુવિધા મળી રહે તે માટે સાંસદે કેન્દ્રમાંથી સિંહ દર્શન માટેની મંજુરી મેળવવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. એવી મનપાનાં મેયરે રજૂઆત કરી હતી. જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત સુપ્રસિદ્ધ યાત્રાધામ હોય જ્યાં વિશ્વધભરમાંથી આખા વર્ષમાં અંદાજે 50 લાખ જેટલા પર્યટકો મુલાકાતે આવે છે.

ત્યારે જૂનાગઢમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે સિંહદર્શન સુવધા ઉભી કરવી જોઇએ. ગીરનારનાં જંગલમાં પણ 50 થી 60 જેટલા સિંહો કુદરતી રીતે વસવાટ કરે છે. ત્યારે સાસણમાં જંગલની અંદર જેવી રીતે સિંહ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવી વ્યવસ્થા ગિરનારનાં જંગલ માટે પણ નામી ઉભી કરવામાં આવે બાબતે જૂનાગઢ વિસ્તારનાં સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્રમાંથી મંજૂરી મેળવવાનાં પ્રયાસો હાથ ધરવા મનપાનાં મેયર જીતુહિરપરાએ પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી અનેક વિકાસનાં કામો ચાલી રહેલ છે. તો તમામ વોર્ડમાં સીસી રોડ અને વિકાસ કામોને ગતિ મળી રહે તેવા ત્યારે વિકાસ કામોને ગતિ મળી રહે તેવો હેતુસર જૂનાગઢ મત વિસ્તારનાં સાંસદને મળતી ગ્રાન્ટમાંથી રૂ. 1 કરોડ જૂનાગઢનાં વિકાસમાં ફાળવવા જોઇએ. એવું મેયરે જણાવ્યું હતું.

વિકાસ માટે સાંસદ ~ 1 કરોડ ફાળવે

No comments: