Tuesday, May 31, 2016

ધારી: જસાધાર રેંજમાં અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમાં અજગરનું મોત

ધારી: જસાધાર રેંજમાં અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમાં અજગરનું મોત
  • Bhaskar News, Dhari
  • May 30, 2016, 00:39 AM IST
(પ્રતિકાતમક તસવીર)
ધારી:
ગીરપુર્વની જસાધાર રેંજમાં તુલશીશ્યામ રાઉન્ડ ઘેરાળા બીટમાં શિયાળના બચ્ચાને અજગર ગળી ગયો હતો. બાદમાં અન્ય શિયાળ અને અજગર વચ્ચે ઇનફાઇટ થતા અજગરનું મોત નિપજયું હતુ. અજગર અને શિયાળ વચ્ચે ઇનફાઇટમા અજગરના મોતની આ ઘટના જસાધાર રેંજના તુલશીશ્યામ રાઉન્ડ ઘેરાળા બીટમાં બની હતી. અહી એક અજગર શિયાળનું બચ્ચુ ગળી ગયો હતો. બાદમાં અન્ય શિયાળ અને અજગર વચ્ચે ઇનફાઇટ થઇ હોવાનુ વનવિભાગે જણાવ્યું હતુ.

અજગર શિયાળનું બચ્ચું ગળી ગયો હતો

ઘટના અંગે વનવિભાગને જાણ થતા એસીએફ ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. જસાધાર રેંજના આરએફઓ પંડયા સહિતના સ્ટાફે અજગરના મૃતદેહને કબજે લીધો હતો. અને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પીએમની કાર્યવાહી ડો. હિતેષ વામજા દ્વારા કરવામા આવી હતી. પીએમમા અજગર શિયાળનુ બચ્ચુ ગળી ગયો હોવાનુ જાણવા મળ્યું હતુ.

No comments: