Saturday, May 30, 2020

ગોઢાવદરના ખેડૂતે 9 વિઘાની શેરડી પશુઓને ચરાવી દીધી


ખેતરોમાં પશુને છુટા મુકી પાક ચરાવી દીધો.
ખેતરોમાં પશુને છુટા મુકી પાક ચરાવી દીધો.

  • કોઇ ગ્રાહક ખરીદી કરવા આવતા ન હોય નિર્ણય કર્યો

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:04 AM IST

લીલીયા. હાલ સમગ્ર જિલ્લામા કોરોના મહામારીને પગલે લોકડાઉન અમલમા છે. ત્યારે લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે રહેતા ખેડૂત પ્રફુલભાઇ બટુકભાઇ ગજેરાએ પોતાના ખેતરમા 9 વિઘામા ઉનાળુ શેરડીનુ વાવેતર કર્યુ હતુ. હાલ તો કોઇ શેરડીની ખરીદી કરવા આવે તેમ ન હોય તેમણે પોતાના ખેતરમા માલઢોર છુટા મુકી આ પાક પશુઓને ચરાવી દીધો હતો. આ ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે તેમણે નુકશાનના વળતરની પણ માંગ કરી હતી.  
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/liliya/news/a-farmer-from-godhavdar-grazed-9-bighas-of-sugarcane-127262405.html

No comments: