Saturday, May 30, 2020

વનવિભાગના રબારીકા રાઉન્ડમાં ઘાસ કટીંગમાં ગોલમાલનો આક્ષેપ

  • કેટલોજથ્થો કપાયો, કયાં લઇ જવાયો તેની જવાબદાર કર્મીઅઓને ખબર પણ નથી

દિવ્ય ભાસ્કર

May 12, 2020, 07:38 AM IST

ખાંભા. વનવિભાગની તુલસીશ્યામ રેંજ અનેક પ્રકારની ગેરરીતિઓનુ ઘર બની છે. સામાન્ય રીતે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તાર અને અનામત વિડી વિસ્તારમા 31 માર્ચ સુધીમા ઘાસનુ કટીંગ કરી લેવામા અાવતુ હોય છે. પરંતુ ચાલુ સાલે કોઇ અકળ કારણોસર હાલમા પણ ઘાસ કટીંગનુ કામ ચાલી રહ્યું છે. અહીના રાઉન્ડ ફઓરેસ્ટર યાસીન જુણેજાએ જણાવ્યું હતુ કે માર્ચમા પ્રથમ ટાર્ગેટનુ કટીંગ કરાયુ હતુ. હાલમા બીજા ટાર્ગેટનુ કટીંગ કરવામા આવી રહ્યું છે. જોકે અહીથી કેટલુ ઘાસ કાપવામા અાવ્યું છે, કેટલા લઓકઓ કટીંગમા રઓકાયેલા છે અને ઘાસ કયાં મઓકલાયુ છે તે અંગે તેઅઓ અજાણ જણાયા હતા. 
અાંબલીયાળા વિડીમા દર વર્ષે 31 માર્ચ પહેલા લાખઓ કિલઓ ઘાસનુ કટીંગ કરવામા અાવે છે. અા કામગીરી નીચેના કર્મચારીઓને સઓંપાય છે. અધિકારીઅઓ અઓફિસમા બેઠા રહે છે. અહી ઘાસના ટ્રેકટરઓ ઘાસની ગંજીઓ રેવન્યુ વિસ્તારમા લઇ જતા નજરે પડી રહ્યાં છે. ધારીના ડીઅેફઓઅંશુમન શર્માઅે જણાવ્યું હતુ કે આ અંગે તપાસ કરાવીશ.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/khambha/news/allegation-of-tampering-in-grass-cutting-in-rabarika-round-of-forest-department-127293710.html

No comments: