Thursday, August 9, 2007

News and Articles in Gujarati Language.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

19" Rain in just 24 hours in Talala, Sasan (Gir Forest ) Region.

તાલાલામાં જનજીવન અસ્તવ્યસ્ત

તાલાલા (ગીર) તા.૮

તાલાલા પંથકમાં મંગળવારે ૨૪ કલાકમાં પડેલ ૧૯ ઇંચ વરસાદે આખા પંથકનું જનજીવન ખોરવી નાખ્યું છે. મંગળવારના ભારે વરસાદને કારણે અનેક ગામોમાંખેતરના બંધપાળા તૂટી જતા ખેતરોમા વ્યાપક ધોવાણ થયું છે. તેમજ મામલતદારે કરેલ પ્રાથમિક સર્વે દરમ્યાન જયારે પૂરને કારણે વિવિધ ગામોમાંથી ૧૯ પશુઓ તણાયા હોવાનું તેમજ તાલાલા શહેર ઉપરાંત ભાલછેલ અને હરીપુર ગિર કુલ આઠ થી દશ કાચા મકાનો ધરાશાહી થઇ ગયાનું વિગતો આપી છે. જયારે કુલ બે માનવનો ભોગ લેવાયો છે. ઠેર ઠેર રસ્તાઓ અને બેઠા પુલોમાં મોટા મોટા ગાબડી પડી ગયા છે . તેમજ અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોનાં રહેઠાણ

તાલાલામાં જનજીવન અસ્તવ્યસ્ત
મકાનોમાં પાણી ભરાઇ ગયા છે.તાલાલા પંથકમાં ભારે વરસાદ બાદ પોરબંદર ગયેલ જન જીવન ધમધમતા કરવા તાલાલા મામલતદાર શ્રી અમીબેન દોશી તથા ઓફીસર ધમેન્દ્રસિંહ જાડેજા તાલાલા કંન્ટ્રોલ રૂમમાંથી જરૂરી કાર્યવાહી સાથે આખા વહીવટી તંત્રને કામે લાગાડી જોરશોરથી કામગીરી શરૂ કરી દીધી છે. તાલાલાથી ૭ કિ.મી.દૂર ચિત્રાવડગિર ગામે હરીપર રોડ ઉપર આવેલ તળાવ ફાટતા ૧૨૫ ગરીબ પરીવારો નોંધારા થઇ ગયા છ તળાવ ફાટતા તળાવની હેઠવાસ રહેતા દેવી પુજક - દલીત અને આદીવાસી પરીવારના કુલ ૧૨૫ પરિવારની મોટા પ્રમાણમાં અસર થઇ છે. આ તમામ પરીવારોની ઘરવખરી તણાઇ ગયાં ચાર મકાનો પડી ગયા છે. અનેક મકાનોની દિવાલો બેસી ગયા છે. તેમજ આ વિસ્તારમાંરહેતા ખેતમજૂરોના ખેતઓજારો તથા ૧૦ થી ૧૫ બકરા પણ તણાઇ ગયા છે. ગામના સરપંચ શ્રી નીતાબેન સીરાજભાઇ તથા પંચાયતના સદસ્યો તથા ગામના સેવા ભાવી લોકો તૂરત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચી તળાવના પાણીનો ભોગ બનેલ ૬૦૦ લોકોને સલામત સ્થળે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. મિત્રાવડમાં ડાયમંડ હાઇસ્કૂલમાં પાણી ભરાતા તેની દિવાલ તૂટીપડી બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. તાલાલાથી ૬ કિ.મી. દૂર ચિત્રાવડગિર ગામ પાસેની એક વોકળામાં દોરડુબાંધી લોકોને સામે કાઠે લાવવાનું સેવાકાય કાર્ય દરમ્યાન પગ લપસી જતા વોકળામાં તણાઇ ગયેલ ચિત્રાવડ ગિર ગામના મોમના કાસમ માંડણ સમાતાણી ઉં.વ.૫૮ ની લાશઆજે સવારે ગામથી થોડે દૂર જાળીમાંથી મળી હતી. ત્યારબાદ ગઇકાલે સવારે ૯:૦૦ કલાકે ઘરેથી નીકળેલ તાલાલા હોમગાર્ડ યુનિટ રાજય નારણભાઇ અમૃતલાલ ઉર્ફે કિશોરભાઇ ધોબી ઉ.વ.૪૨ ગઇકાલે હિરણનદીના પુરમાં તણાઇ ગયેલ હોય આજે સવાર ઉમરેઠી ડેમમાંથી તેમની લાશ મળતા પી.એસ.આઇર્ી અશોક પંડયા તથા હોમગાર્ડ કમાન્ડ અપાર નાથી સ્ટાફ સાથે ડેમ ઉપર જઇ લાશનો કબજો લઇ પી.એમ.સહિતની કાર્યવાહી કરી લાશ તેમના પરીવારને સોપી હતી. તાલાલા પંથકમાં ભારે વરસાદે અત્યાર સુધીમાં બે લોકોનો ભોગ લીધો છે. તાલાલા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો હતો પણ વરસાદ સંપૂર્ણ શાંત હતો.

એસ.ટી.અને રેલ્વે વ્યવહાર સેવા ઠપ
તાલાલા પંથકમાં ભારે વરસાદને કારણે આખો ગીર પંથક જળબંબાકાર થઇ જતા સંપૂર્ણ વ્યવહાર ઠપ થઇ ગયો હતો. રાત્રે એસ.ટી.સ્ટેન્ડ તથા રેલ્વે સ્ટેશન ઉપર ફસાઇ પડેલ ૧૦૦ જેટલા મુસાફરોને સ્થાનીક વહીવટી તંત્રએ ભોજન અને રાતવાસાની વ્યવસ્થા કરી આવી હતી. પરંતુ આજે બીજા દિવસે પણ એસ.ટી.અને રેલ્વે વ્યવહાર સેવા બંધ છે. રેલ્વે લાઇનમાં અવની પાસે અને ૃૃપ્રાચી રેલ્વે સ્ટેશન પાસે મોટા પ્રમાણમાં ધોવાણ થયુ હોય રેલ્વે સેવા ઠપ છે. મરામત કામગીરી શરૂ થઇ નથી.

તાલાલા પંથકનો મૌસમનો વરસાદનો વરસા ૫૧૯૫ થયો
તાલાલા પંથકમાં ગત વર્ષે મૌસમનો કુલ વરસાદ ૧૩૨૨ મી.મી. થયો હતો તેની સામે આ વર્ષે આજ સાંજના ૪:૦૦ વાગ્યા સુધીનો મૌસમનો કુલ વરસાદ ૧૨૭૦ મી.મી.એટલે કે ૫૧૯૫ થયો છે. હજુ પણ વરસાદના ભારે ઝાપટા ચાલુ છે.

No comments: