Friday, August 10, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

બરોળના રોગો

આપણા કચ્છ કાઠિયાવાડમાં થતાં એક ઉત્તમ ઔષધનું નામ છે 'રગતરોહિડો.' આયુર્વેદમાં જેને રોહિતક કહે છે. તેનાં પર્ણો દાડમડીના પર્ણો જેવા જ હોવાથી તેનું બીજું સંસ્કૃત નામ દાડિમચ્છદ પણ છે. શાખાઓને છેડે સુંદર કેસરિયા રંગનાં ફૂલો શિયાળામાં આવે છે. તમને ખબર છે ? આ રગતરોહિડો એ બરોળની રામબાણ દવા છે. મેલેરિયા કે પછી કે બીજા કોઈ કારણથી જેમની બરોળ બગડી હોય તેમણે ઔષધમાં રગતરોહિડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે હરડેના ઉકાળામાં રગતરોહિડાની છાલના ટુકડા પલાળીને બીજા દિવસે આ ટૂકડા સૂકવી નાખ્યા પછી બારીક ચૂર્ણ કરી બાટલી ભરી લેવી. આશરે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે લેવાથી બરોળના રોગો, કમળો, લોહી જામી જવું, મસા, કૃમિ, પ્રમેહ વગેરે રોગો મટે છે.

No comments: