Thursday, August 2, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

મૈથુનશક્તિ
આયુર્વેદનો એક વાજીકરણ પ્રયોગ નોંધવા જેવો છે અને આ પ્રયોગ પર તો મહાન વિદ્વાન વૈદ્ય શોઢની મહોર લાગેલી છે. એટલે શંકાને તો કોઈ સ્થાન જ નથી. અહીં વાજીકરણનો અર્થ થાય છે મૈથુનશક્તિ વધારનાર, શીથિલતા દૂર કરનાર. આ ઉપરાંત તે મૂત્રમાર્ગના રોગો પણ મટાડે છે. એક ગ્લાસ જેટલા દૂધમાં બે ચમચી ખડી સાકર અને અડધી ચમચી આશરે પાંચ-છ ગ્રામ જેટલું ગોખરુનું ચૂર્ણ અને અડધી ચમચી શુદ્ધ કરેલા કૌંચાના બીજનું ચૂર્ણ નાંખી ધીમા તાપે ઉકાળવું. દૂધ બરાબર ઊકળે એટલે ઉતારી ઠંડું પાડી પી જવું. આ પ્રમાણે રોજ દિવસમાં બે વખત સવાર-સાંજ તાજેતાજું બનાવેલું દૂધ દસથી વીસ દિવસ પીવાથી મૈથુનશક્તિ વધે છે. આ ઉપરાંત મૂત્રમાર્ગની પથરી, એન્લાર્જમેન્ટ ઑફ પ્રોસ્ટેટ, મૂત્રાવરોધ, મૂત્રની બળતરા જેવી વિકૃતિઓ મટે છે.

No comments: