Friday, October 19, 2012

જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત.


Bhaskar News, Khambha  |  Oct 19, 2012, 10:32AM IST
ખાંભા તાલુકામાં પાછલા એક વર્ષમાં ચાર સિંહોના મોત થયા હતા. જેમાં નિંગાળા ગામે ખુલ્લા કુવામાં પડી જતા એક સિંહનું મોત થયુ હતુ. તેમજ ડેડાણમાંથી એક સિંહનો મૃતદેહ મળ્યો હતો. ઉપરાંત રાયડી ગામેથી ઝેરી દવા ખાઇ લેતા એક સિંહનું મોત નિપજ્યું હતું. અને આંબરડીમા વીજ કરંટથી એક સિંહનું મોત થયું હતું. જ્યારે આજે ખુલ્લા કુવામાં પડી જતા સિંહનું મોત નપિજતા સિંહ પ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી.
ખાંભા તાલુકો જંગલ વિસ્તાર નજીક આવેલો હોય અને આસપાસ ડુંગર વિસ્તારમાં હાલમાં દસથી વધુ સિંહો અહી વસવાટ કરી રહ્યાં છે. અહી અવારનવાર સિંહો વાડી ખેતરોમાં શિકારની શોધમાં આવી ચડે છે.
અહી આવેલ વાડી ખેતરોમાં કુવાઓ ખુલ્લા હોય સિંહો તેમાં પડીને મોતને ભેટી રહ્યાં છે.
ખાંભાના નેસડી ગામે બની ઘટના, સિંહના મૃતદેહને મહામહેનતે બહાર કઢાયો ખાંભા તાલુકાના નેસડી ગામે આવેલ એક વાડીમાં ખુલ્લા કૂવામાં સિંહનો મૃતદેહ પડ્યો હોવાનું માલુમ પડતા વાડી માલિકે વન અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ખાંભા પંથકમાં છેલ્લા એક વર્ષમાં પાંચ સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓમાં ચિંતાની લાગણી છવાઇ છે. (તસવીરોઃ કનુભાઇ વરૂ)
Images by Kanubhai Varu.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-death-in-nesdi-3940823.html?seq=7

જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત
જેની એક ત્રાડથી ધ્રુજતું હતું ગીર, તેને આ તે કેવું મળ્યું દર્દનાક મોત

No comments: