Friday, February 28, 2014

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા.

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા
Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:22AM IST
-પખવાડિયા જૂના પ્રકરણનો અંત : સરકારી બાબુઓની પરિવાર સાથે ઘૂમેલી ગાડી અને સિંહ દર્શનનો મામલો
-
વનવિભાગનાં સ્ટાફે પણ આરએફઓનાં વર્તન મુદ્દે બદલીની માંગ કરી હતી

વિસાવદર નજીક મધ્યગીરમાં ગત તા.૯નાં રોજ રેવન્યું વિભાગનાં અધિકારીઓની ગાડી પરિવાર સાથે રેન્જનાં મેલડી નાકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજમાં ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શનનો મામલે વનવિભાગનાં આરએફઓ સહિ‌તનો ઢાંક પીછોડો સહિ‌ત વિવાદ છેલ્લા પખવાડીયાથી થયો હતો અને આ મામલે ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆતોનો દોર પણ રહ્યો હતો. જ્યારે સ્થાનિક તથા જિલા આગેવાનો દ્વારા પણ સામાન્ય માણસને દંડ ફટકારતા વનવિભાગનાં આ અધિકારીની આ જંગલ યાત્રામાં મેલી મુરાદ હોવાનો આક્ષેપ ઉઠયો હતો જો કે, આજે મોડેથી મળતા સમાચાર મુજબ વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયા પાસેથી તાત્કાલીક અસરથી ચાર્જ લઈ લેવાયો છે અને તેઓને મુળ સ્થાને ખાંભા મૂકી દેવામાં આવ્યા છે.

જ્યારે નવનિયુક્તમાં ગોંડલથી ગોંધીયાની નિમણૂંકનો આદેશ થયાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે, આ સમગ્ર ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શન બાદ મતદાન મથક ચેક કરવાનું બહાનું વન અને રેવન્યું વિભાગે સાથે જ ઉપજાવ્યું હતું કારણ કે બાણેજ ગીર સોમનાથ જિલ્લામાં આવતું હતું પણ યાત્રામાં માત્ર ગીર કનકાઈ બતાવી જિલ્લા વહિ‌વટી તંત્રના ઉચ્ચઅધિકારીને પણ અંધારામાં રાખવાનો પ્રયાસ થયો હતો. જ્યારે ૧પ દિવસનાં આ વિવાદીત પ્રકરણમાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાને વિસાવદર રેન્જમાંથી હટાવ્યાનાં સમાચાર મળતા પર્યાવરણ પ્રેમીઓ અને અગ્રણીઓએ સાચી લડત અને અખબારી માધ્યમનો વિજય ગણાવ્યો હતો.

વિસાવદરનાં ડે.કલેકટર અને તેના પરિવારજનો ગત તા.૯નાં રોજ વિસાવદર રેન્જનાં મેલડી નાંકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજ ગયા હતા જેમાં સ્થાનિક આરએફઓ ગોઢાણીયાએ આ અિિાકારીઓને વહાલા થવા સ્ટાફને પણ મોકલ્યો હતો. એક તરફ વનવિભાગનાં નિયમ મુજબ મેલડી નાંકામાંથી પ્રવેશો કે તુરંત જ પરમીટ લેવામાં આવે છે પરંતુ સરકારી તંત્રનાં આ અધિકારીઓની જંગલ યાત્રામાં આવુ કશુ થયું ન હતું. દરમિયાન આ જંગલ યાત્રના બીજા દિવસેથી જ આ મુદ્દે વિવાદ ચેડાયો હતો અને વિસાવદરનાં આરએફઓ સામે અનેક પ્રશ્નાર્થો પણ રચાયા હતા. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ, અન્ય અગ્રણીઓ, પર્યાવરણ પ્રેમીઓ સહિ‌ત લોકોએ વનવિભાગનાં આ વર્તનનો બુલંદ સ્વરે વિરોધ વ્યકત કર્યો હતો. જ્યારે તંત્રનાં અધિકારીઓનાં આ પ્રવાસ અંગે જ્યારે જૂનાગઢ જિલ્લા કલેકટરે રીપોર્ટ માગ્યો ત્યારે તેમાં ગીર કનકાઈની મુલાકાત જ દર્શાવાઈ હતી. પરંતુ અગ્રણીઓના સોગંધનામા સહિ‌ત પુરાવા મુજબ આ અધિકારીઓ પરિવાર સાથે બાણેજ પણ પહોંચ્યા હતા.

દોષીતોને બચાવતો રીપોર્ટ સોમવારે જાહેર થશે

આ બાબતે જૂનાગઢ કલેકટર આલોકકુમાર પાંડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે ગીરપશ્વિમના ડીસીએફ ડો.કે.રમેશને મે તમામ થાણા ડાયરીઓ લઈ બોલાવ્યા છે. જે હાલ ગાંધીનગર હોવાથી શનિવારે મને મળશે. અને થાણા ડાયરી જોયા બાદ આ બાબતનો રીપોર્ટ સોમવારે જાહેર કરશું. પરંતુ પરીક્ષાનું પેપર ફૂટી જાય તેમ આ સમગ્ર પ્રકરણનો રીપોર્ટ સૂત્રો પાસેથી અગાઉ જ મળી ગયો હોય તેવી રીતે આઈએએસ અને આઈએફએસ વચ્ચેની ગુપ્ત બેઠકમાં જંગલયાત્રાના જવાબદારોને કાગળ પર બચાવવાનું અગાઉથી જ નક્કી થઈ ગયું.

જેથી તે મુજબ તમામ થાણાઓમાં બાણેજની એન્ટ્રી ગુમ ? બાણેજની એન્ટ્રી ગૂમ થવાથી જવાબદારો નિર્દોષ ઠરશે. કારણ કે કનકાઈની યાત્રા તો મતદાન ચકાસણીની (કાગળ પર) હતી. જેથી સોમવારે કલેકટરે જંગલયાત્રા માત્ર કનકાઈ સુધી અને એ પણ મતદાન મથકો ચકાસણીની કાયદેસર યાત્રા થશે અને આમ અધિકારીઓ બાણેજ ગયા જ નથી તેવો રીપોર્ટ જ જાહેર કરશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

No comments: