Friday, February 28, 2014

સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત: મોદી.


Bhaskar News, Junagadh | Feb 23, 2014, 01:45AM IST
- ઉપરકોટમાં 'મેં ગિરનાર હૂં’ લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ
- સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત : મોદી
-
મંત્રીનાં હસ્તે લોકાર્પણ : પ્રવાસીઓને નવુ નજરાણુ મળ્યુ

ઉપરકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને જૂનાગઢની પ્રજા માટે નવુ નજરાણા રૂપ મૈં ગિરનાર હૂં લાઇટ એન્ડ સાઉન્ડ શો વીથ વોટર પ્રોજેકટનુ મંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વિડીયો રેકોડીંગનાં માધ્યમથી સ્પીચ આપતા જણાવ્યુ હતુ કે, આઝાદી સમયે જૂનાગઢનાં નવાબને પાકિસ્તાનાં ભળવાનો અભરખો ઉપડયો હતો. ત્યારે સરદાર પટેલ છાતી કાઢી ઉભા થયા હતા. અને જૂનાગઢને ભારતમાં રાખ્યુ હતુ. જો સરદાર ન હોત તો આજે આપણી પાસે સોમનાથ ન હોત અને સિંહ જોવા માટે પાકિસ્તાનના વિઝાની જરૂર પડેત.
જૂનાગઢનાં વિકાસમાં એક વધુ મોર પીછનો ઉમેરો થયો છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને અહીની પ્રજાને લાઇટ એન્ડ સાઉન્ડ શોની ભેટ મળી છે. ઉપરકોટમાં રૂપિયા ૨ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી જયેશ રાદડીય, બાબુભાઇ બોખીરીયા, ગોંવિદભાઇ પટેલ, કલેકટર અને ઉપરકોટ સમિતિનાં ચેરમેન આલોકકુમાર પાંડે, ભારતી બાપુ, કરશનદાસ બાપુ, શેરનાથબાપુ, ઇન્દ્રભારતી બાપુ, ધારાસભ્ય મેહન્દ્રભાઇ મશરૂ, મેયર લાખાભાઇ પરમારની ઉપસ્થિતીમાં જૂનાગઢનુ આ નવુ નજરાણુ પ્રજા માટે ખૂલ્લુ મકવામાં આવ્યુ હતુ. તેમજ આ પ્રોજેકટનુ ઉદ્ઘાટન પ્રસંગ ઓનલાઇન નિહાળ્યો હતો.

No comments: