Friday, February 28, 2014

'મેં ગિરનાર હૂં’ ના નાદથી આજથી ઉપરકોટ ગુંજશે.

Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:27AM ISTજૂનાગઢની પૌરાણીક ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કુવો અને માણેક - નિલમ તોપ સાથે સાહસ અને શૌર્યની રખેવાળી કરતા સ્થાપત્યો પ્રવાસીઓને કાયમી ઇતિહાસની યાદ કરાવતા રહ્યા છે. તેની ઝાંખી કરવાતા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ પ્રવાસીઓ માટે તા. ૨૨ ફેબ્રુઆરીનાં સાંજનાં સાત વાગ્યે મંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગરથી ઇલેકટ્રોનીકસ માધ્યમ દ્વારા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનાં ઉપયોગથી શુભારંભ કરશે.
લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટમાં મહાભારતમાં જેનો અવાજ છે તેવા હરીશ ભીમાણીનો અવાજ રાખવામાં આવ્યો છે. મહાભારતમાં જેવી રીતે મે સમય હું નો સંવાદ છે તેવી જ રીતે આ પ્રોજેટકમાં પણ મે ગિરનાર હુંથી શરૂઆત થશે. બાદ ગિરનારનો ૨૨પ૦ કરોડ વર્ષ જૂનો ઇતિહાસ, સામ્રાજય, રાજ કરી ગયેલા નવાબ, રાજાનો ઈતિહાસનુ વર્ણન કરવામાં આવશે.

No comments: