Saturday, October 31, 2015

ગીર અભયારણમાં હવે 100 ટકા ઓનલાઇન બુકીંગ થશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
ગીરનેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા આગામી તા.1 લી નવેમ્બરે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકે તેવી સુવિધા પૂરી પાડી હતી. કેમકે મુલાકાતીઓને બુકીંગમાં પરેશાની થતી હતી પગલાને ધ્યાને લઇ વન વિભાગે આયોજન કર્યુ છે.

એશીયાઇ સિંહોની વાસહત ધરાવતા ગીર અભ્યારણની સુવિધમાં વધારો કર્યો હતો. જેમાં ગીર નેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા અભ્યારણની સવારની વહેલી (6 થી 9 કલાકની) ટ્રીપ માટે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકશે. પહેલા 50 ટકા સુવિધા આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં દેશ વિદેશથી સિંહ દર્શન માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે અને તાજેતરમાં એક ખુલાસો થયો હતો કે અભ્યારણમાં કાળાબજાર થાય છે. મુલાકાતીઓ પાસેથી મસમોટી ફી લઇ તેમને કાળા બજારીયાઓ લૂંટી રહ્યા છે અને ચાર્જ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડે છે. સાસણ આવતા ટૂરીસ્ટો લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમંથી મૂક્તિ મળશે અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી ઓનલાઇન મૂકી શકશે તેમવન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.

No comments: