Saturday, October 31, 2015

ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત

DivyaBhaskar News Network

Oct 30, 2015, 06:15 AM IST
ગિરનારજંગલનાં અસાયબાપીરની જગ્યાની બાજૂ માંથી ભાવનગર જિલ્લાનાં યાત્રાળુનો મૃતદેહ મળી આવ્યો હતો.ભવનાથ પોલીસે તેનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

ગિરનાર જંગલમાં આવેલા અસાયબાપીરની જગ્યાથી 200 મીટર અંદર જંગલમાં મૃતદેહ પડયાની જાણ ભવનાથ પોલીસને જતા પીએસઆઇ એસ.બી.પરમાર અને સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તપાસ કરતા મૃતક ભાવનગર જિલ્લાનાં પાલડી ગામનાં ગોયાણી ધરમસીભાઇ હરજીભાઇ હોવાની જાણા મળ્યુ હતુ.પોલીસ તેના પરિવાર જનનો સંર્પક કરી જાણ કરી હતી.તેમજ કયા કારણે મોત થયુ તેની તપાસ હાથ ધરી હતી.

No comments: