Saturday, October 31, 2015

ગિરનારમાં લીલી પરિક્રમા માટેની તૈયારીઓ માટે બેઠક

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
જૂનાગઢનાંગિરનારમાં લીલી પરિક્રમા માટે લાખો યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે. ત્યારે અા કાર્યક્રમની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તા. 30નાં રોજ અધિકારીઓની બેઠક મળશે. અને તા. 22 નવેમ્બરે લીલી પરિક્રમાં પ્રવાસીઓ માટે પ્રારંભ કરાશે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાં તા. ૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે માટે આગામી સમયમાં માટેની પ્રક્રિયા કરવામાં આવશે. લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિવિધ ખાતા- કચેરીઓનો લગત કામગીરીના આયોજનાર્થે અને અમલીકરણ સંબંધે કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને કલેકટર કચેરીનાં મીટીંગ હોલમાં તા. 30નાં રોજ 11:30 કલાકે બેઠક યોજાશે. બેઠકમાં લીલી પરિક્રમાં સંલગ્ન વિભાગોનાં અમલીકરણ અધિકારીઓએ તેમનાં વિભાગને લગત આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાની યાદીમાં જણાવાયુ છે

No comments: