Saturday, October 31, 2015

ઇકો સેન્સેટીવ ઝોનને લઇ મેંદરડામાં પણ વિરોધનો વંટોળ

DivyaBhaskar News Network

Oct 13, 2015, 04:40 AM IST

તાજેતરમાંસરકાર દ્વારા ગીર જંગલનાં આસપાસનાં 10 કિમી વિસ્તારને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમજ ગામે ગામ આંદોલનાત્મક લડત અપાઇ રહી છે ત્યારે મેંદરડામાં પણ મુદે 15મી ખેડૂત હિતર રક્ષક સમિતી દ્વારા મામતદારને આવેદન પત્ર પાઠવશે.

ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવશે. ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા ગીર જંગલની આસપાસનાં 10 કિમીનાં વિસ્તારને ઇકો સેન્સેટીજ ઝોન તરીકે જાહેર કરવાનો નિર્ણયને પગલે વિસ્તારોમાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાનાં અનેક ગામો સમાવિષ્ટ થાય છે. જેના લીધે ત્રણેય જિલ્લાઓનાં તાલુકા તેમજ ગામો કે જે ઇકોસેન્સેટીવ ઝોનમાં આવે છે. ત્યારં નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે. જેને પગલે મેંદરડામાં પણ હવે ખેડૂત હિત રક્ષક સમીતી દ્વારા નિર્ણયનો વિરોધ કરી 15મીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, ફોરેસ્ટડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર ખબરોથી તેમજ ગામોમાં મીટીંગો યોજી મુદે લોકોને સમજણ આપી હતી અને કાયદાથી ખેડૂતો કે રહીશોને કોઇપણ નુકશાન થવાની ખાતરી આપી હોવા છતાં વિરોધ સમવાનું નામ નથી લેતો.

No comments: