Saturday, October 31, 2015

ભંડારીયાના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખીના ઝુંડે હુમલો કરતા મોત

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
અમરેલીજીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

સારવાર દરમીયાન મોત થયુ હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ એચ.એન. રવૈયાએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

No comments: