Monday, February 29, 2016

ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા

ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા
  • Bhaskar News, Una
  • Feb 27, 2016, 02:54 AM IST
ઊના:ગીરગઢડાનાં દ્રોણમાં પરોઢીયે પાંચ સાવજોએ  આવી ચઢી ગામમાં લટાર મારી જુદી -જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી. ગીરગઢડાનાં જંગલ બોર્ડર નજીક આવેલા દ્રોણમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સાવજોએ આવી ચઢી આખા ગામમાં લટાર મારી જુદી-જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી.
 
-પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા
-ગીરગઢડા નજીક દ્રોણમાં સાવજોનું ટોળું ખાબક્યું
 
સવારે ગ્રામજનોએ  ગાયોનાં મૃતદેહો નિહાળતા વનતંત્રને જાણ કરતાં સ્ટાફે દોડી આવી સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ગામની સીમમાં સાવજોએ જાણે કે રહેઠાણ બનાવ્યું હોય એમ અવાર- નવાર માલઢોરનાં  મારણનાં બનાવોથી  ગ્રામજનોમાં  સતત ભય રહે છે.

No comments: