Monday, February 29, 2016

ગીર સોમનાથ: સિંહ દર્શને જતા પર્યટકોને રસ્તામાં થયો વનરાજનો ભેટો


રસ્તામાં વનરાજનો ભેટો થઇ ગયો

  • divyabhaskar.com
  • Feb 25, 2016, 20:04 PM IST
રસ્તામાં વનરાજનો ભેટો થઇ ગયો
ગીર સોમનાથ: ગીર દર્શને જતા લોકોને ઘણીવાર રસ્તામાં જ સાવજનાં દર્શન થઇ જાય છે. ત્યારે ઘણી વખતે એવું પણ થાય છે કે રસ્તા પર સાવજ સામે આવી જતા પોતાની કાર, જીપ રોકી દેવી પડે છે અને જંગલના રાજાને રસ્તો આપી દેવો પડે છે. આવો જ એક વિડીયો હાલ ગીરમાંથી વાયરલ થયો છે જેમાં પર્યટકોએ વનરાજને રસ્તો આપી દેવો પડ્યો હતો.
ગીર સોમનાથ નજીક સાવજ ઘણી વાર રસ્તામાં સામે મળી જતા હોય છે અને ગીર તો એમનું ઘર છે ત્યારે ત્યાં તો તેમનો ભેટો ગમે ત્યારે થઇ શકે છે. આવો જ એક વિડીયો હાલ જોવા મળ્યો છે જેમાં પર્યટકો સિંહ દર્શને ગયા હતા અને રસ્તામાં જ વનરાજનો ભેટો થઇ જતા તેમણે પોતાની કાર ઉભી રાખી દેવી પડી અને સાવજને રસ્તો આપી દેવો પડ્યો હતો.

No comments: