Thursday, March 31, 2016

અમરેલીમાં ચકલી માટે 1 હજાર માળાનું વિતરણ

અમરેલીમાં ચકલી માટે 1 હજાર માળાનું વિતરણ
  • DivyaBhaskar News Network
  • Mar 21, 2016, 02:40 AM IST
એનએસયુઆઇ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી : વિદ્યાર્થીઓ અને શહેરીજનોને ચકલી બચાવવા અપીલ કરવામાં આવી

અમરેલીજિલ્લામાં વિશ્વ ચકલી દિવસની ઠેરઠેર ઉજવણી કરાઇ હતી. ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ઉપક્રમે ચકલીના માળા, પોર્ટેબલ ચબુતરા તેમજ પ્લાસ્ટિકના પાણીના કુંડાનુ વિતરણ કરાયુ હતુ. ત્યારે અમરેલીમાં એનએસયુઆઇ દ્વારા પણ ચકલી દિનની ઉજવણી કરી એક હજાર જેટલા માળાઓ વૃક્ષો પર લગાવાયા હતા.

ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજી ચકલીના માળા, પોર્ટેબલ ચબુતરા, પાણીના કુંડાનુ મફત વિતરણ કરાયું હતુ અને ચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. અમરેલીમાં જિલ્લા એનએસયુઆઇ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ એક હજાર માળાઓ તૈયાર કરવામા આવ્યા હતા. માળાઓ પ્રાથમિક શાળાઓમાં તેમજ જુદાજુદા વિસ્તારોમાં વૃક્ષો પર લગાવવામા આવ્યા હતા. તકે ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જે.પી.સોજીત્રા, એનએસયુઆઇ પ્રમુખ સમીર કુરેશી, મૌલિક ઉપાધ્યાય, સંદિપ ધાનાણી, પ્રકાશ લાખાણી, ફરિદ રહીશ, શરદ ધાનાણી, હાર્દિક સેંજલીયા, જયેશભાઇ નાકરાણી, વિપુલભાઇ શેલડીયા, બી.કે.સોળીયા, નાસીર ટાંક, દેવરાજ બાબરીયા, પ્રતાપ કામળીયા, રાજ મકરાણી, તેજસ મસરાણી, રૂદ્રાક્ષ ગોસાઇ, હિરેન ટીમાણીયા, રૂતિલ ગજ્જર, શરદ મકવાણા, શાંતિ ખુમાણ, નિકેત સાંગાણી, અતુલ ચાવડા, નિરજ ચાવડા સહિત કાર્યક્રરોએ જહેમત ઉઠાવી હતી.

અમરેલીમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. }પ્રકાશ ચંદારાણા

No comments: