Thursday, March 31, 2016

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો
  • Bhaskar News, Rajula
  • Mar 31, 2016, 12:18 PM IST
રાજુલા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત સાવજો ગામમા કે છેક ઘરમા ઘુસી પશુઓનુ મારણ કરતા હોવાની ઘટનાઓ પણ બને છે ત્યારે આવી જ એક ઘટના જાફરાબાદના સોખડા ગામે બની હતી. જયાં આજે વહેલી સવારે બે સાવજો શિકારની શોધમાં એક ખેડૂતના ઘરમા ઘુસી ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સોખડા ગામે આજે વહેલી સવારે બની હતી. અહી રહેતા જીલુભાઇ વરૂ નામના ખેડૂતના ઘરમાં આજે બે સાવજો ઘુસી ગયા હતા અને ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. બે સાવજો છેક ઘરના ફરજામા ઘુસી જતા ઘરમા રહેલા જીલુભાઇના પરિવારોમા પણ ભય ફેલાઇ ગયો હતો.

બાદમાં આ સાવજો વાડી વિસ્તાર તરફ નાસી છુટયા હતા. વહેલી સવારે બે સાવજોની ગામમા લટારથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. અને વાડી ખેતરોમાં કામ કરતા મજુરોમા પણ ફફડાટ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક કે પાણી મળતુ ન હોય શિકારની શોધમાં અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી ચડે છે.

ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો શિકારની શોધમાં ખાસ કરીને રાત્રીના સમયે આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. જેને કારણે વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરોને સતત ભય રહે છે. વનવિભાગ દ્વારા ગીરકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ ગામ લોકોએ માંગણી ઉઠાવી છે.

No comments: