
- Bhaskar News, Rajula
- Mar 31, 2016, 12:18 PM IST
બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સોખડા ગામે આજે વહેલી સવારે બની હતી. અહી રહેતા જીલુભાઇ વરૂ નામના ખેડૂતના ઘરમાં આજે બે સાવજો ઘુસી ગયા હતા અને ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. બે સાવજો છેક ઘરના ફરજામા ઘુસી જતા ઘરમા રહેલા જીલુભાઇના પરિવારોમા પણ ભય ફેલાઇ ગયો હતો.
બાદમાં આ સાવજો વાડી વિસ્તાર તરફ નાસી છુટયા હતા. વહેલી સવારે બે સાવજોની ગામમા લટારથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. અને વાડી ખેતરોમાં કામ કરતા મજુરોમા પણ ફફડાટ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક કે પાણી મળતુ ન હોય શિકારની શોધમાં અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી ચડે છે.
ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો શિકારની શોધમાં ખાસ કરીને રાત્રીના સમયે આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. જેને કારણે વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરોને સતત ભય રહે છે. વનવિભાગ દ્વારા ગીરકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ ગામ લોકોએ માંગણી ઉઠાવી છે.
No comments:
Post a Comment