Thursday, March 31, 2016

જિલ્લાની દરેક સ્કુલમાં હવે ચકલીનાં બે માળા લગાવાશે


  • DivyaBhaskar News Network
  • Mar 16, 2016, 07:24 AM IST
પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરાયું

એજ્યુકેશન રીપોર્ટર. અમરેલી

વિશ્વચકલી દિનને ધ્યાને લઇ અમરેલી જીલ્લામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભીયાન ચલાવાઇ રહ્યુ છે ત્યારે અમરેલી જીલ્લાની પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી દ્વારા આવુ અભીયાન હાથ ધરાયુ છે અને અમરેલી જીલ્લાની દરેક પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા બે ચકલીના માળા લાગે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીના પ્રમુખ આનંદભાઇ ભટ્ટ, મંત્રી અતુલભાઇ કાથરોટીયા, કારોબારી સભ્યો અને સભાસદો તથા કર્મચારીઓના સહીયારા પ્રયાસથી અભીયાન ચલાવાઇ રહ્યુ છે. માર્ચ અને એપ્રિલ એમ બે માસના સમયગાળામાં ચકલીને રહેઠાણની સૌથી વધુ જરૂર હોય છે. સમયગાળા દરમીયાન શિક્ષકો, છાત્રો અને ગામલોકોને વધુને વધુ ચકલીના માળા લગાવી પાણીના નાના કુંડાની વ્યવસ્થા કરવા પણ અપીલ કરાઇ છે.

હાલમાં મંડળી દ્વારા ધિરાણ માટે આવતા તમામ સભાસદોને ધિરાણના ફોર્મની સાથે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચકલીના માળા જે તે સ્કૂલમાં લગાવાઇ રહ્યા છે. મંડળી દ્વારા જીલ્લાની દરેક સ્કૂલમાં ઓછામાં ઓછા બે માળા લાગે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. સભાસદો-શિક્ષકોને માળા દરેક સ્કૂલ સુધી પહોંચે તે જોવા અપીલ કરાઇ છે.

No comments: