Thursday, March 31, 2016

અમરેલી શહેરમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network
Mar 27, 2016, 03:46 AM IST

અમરેલીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બાલ ભવન અને ગિરધરભાઇ સંગ્રહાલય દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડીસીએસસી ટીમના સભ્યો જિલ્લા સંયોજક અરૂણભાઇ પાનસુરીયા, જિલ્લા સંદશેક ગોપી સરપદડીયા તથા કાઉન્સીલર પ્રોફેસર ડોડીયા દ્વારા સૌપ્રથમ અમરેલી પારેખ મહેતા પ્રાથમીક શાળા ખાતે 109 વિદ્યાર્થીઓ સમક્ષ સજીવોના અસ્તિત્વ માટે વનની મહત્વતા પર ઉદાહરણ સહ મનનીય વ્યાખ્યાન તથા માનવમા બિનહાનીકારક અનુવાંશિક લક્ષણો માહિતી પુર્ણ પ્રવચનના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ટીમ દ્વારા જીવનતિર્થ વિદ્યાલય મુકામે અન્ય કાર્યક્રમમા અરૂણભાઇ દ્વારા પ્રાસંગીક ઉદબોધન બાદ પ્રોફેસર ડોડીયાએ વિશ્વ વન દિવસના ઉપલક્ષ્ય કાર્યક્રમમા વનની જરૂરીયાત જણાતા કહ્યુ હતુ કે પૃથ્વી પર સજીવોના અસ્તિત્વ માટે વન અભિ જરૂરી છે. વનસ્પતિ વિહીન જગતની કલ્પના પણ મૃત્યુ કારક બની શકે છે. સજીવોને જીવવા માટે અતિ આવશ્કય ખોરાક, પાણીને પ્રાણવાયુ વનસ્પતિ સંતોષાય છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમા પોષણ માટે દાંતની રચના, આકાર, પ્રમાણ અને મહત્વ વિશે નમુનાઓ સહ રસપ્રદ માહિતી પ્રોફે. ડોડીયાએ આપી હતી.

કાર્યક્રમના અંતમા આચાર્ય દિનેશભાઇ ત્રીવેદી તથા ભરતભાઇ ઉપાધ્યાયે લોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા માટે અધ્યાપક જાડેજા, જીજ્ઞાબેન ત્રીવેદી, વંદનાબેન કુંચલા, દિશાબેન જવાણીએ સહકાર આપ્યો હતો. સાથે પટાંગણમા 15 જેટલા વૃક્ષોના રોપાનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. સંસ્થાના પ્રિન્સીપાલ વિપુલભાઇ વ્યાસ, પ્રોફે. ગોંડલીયા, નરેશભાઇ અધ્યારૂ સહિત વિગેરેના હસ્તે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામા આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા તથા મંત્રી સંજીવભાઇ મહેતાએ કાર્યને બિરદાવ્યું હતું.

No comments: