Thursday, March 31, 2016

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ
  • DivyaBhaskar News Network
  • Mar 27, 2016, 03:46 AM IST
કેરીઉત્પાદક ખેડુતો માટે કેરીનાં સ્વાદ અને મીઠાશથી પણ વધુ મીઠા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે કૃષિનીતિ માં વર્ષમાં એકવાર આવતા બાયાગત પાક કેરીનો વડાપ્રધાન પાક વીમા યોજનામાં સમાવેશ કર્યો છે. કેરી ઉત્પાદક ખેડુતોની વર્ષો જુની માંગ સંતોષાતા કેરીનો પાક નિષ્ફળ જાય અથવા કુદરતી આફતોથી નાશ પામે તો પાંચ ટકા પ્રિમીયમનાં દરે કેરી ઉત્પાદક ખેડુતોને વળતર મળશે. નવી વીમા યોજનાની અમલવારી આવતા વર્ષથી અમલમાં આવશે.

ગીર પંથક કેસર કેરીનો ગઢ ગણાતો હોય વિસ્તારમાં બાગાયતી પાક કેરીનું ઉત્પાદન થતું હોય વર્ષમાં એકવાર આવતો કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને સહાય કે વળતર મળતું નહી વર્ષાથી કેરીનો પાક વીમામાં સમાવેશ કરવા કેરી ઉત્પાદન ખેડુતો અને આગેવાનો રજૂઆત કરતા રહેલ. તાલાલા પંથક સહિત સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં કેરીનું ઉત્પાદન થતુ હોય કેરી ઉત્પાદક ખેડુતોની સ્થિતિ પાક નિષ્ફળ જવાથી શું થતી હોય તે અંગે તાલાલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલ અને તાલુકાનાં સહકારી ક્ષેત્રનાં ખેડુત આગેવાનોએ રાજય અને કેન્દ્રનાં કૃષિમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ અસરકારક રજુઆતો લાંબા સમયથી કરતા રહેલ. ગુજરાત સરકાર તરફથી ભારત સરકારનાં કૃષિ વિભાગ અને વિશેષ વડાપ્રધાન સુધી યોગ્ય રીતે રજૂઆત થતાં તાજેતરમાં કેન્દ્રીય પાક વીમા યોજનાની સમીક્ષામાં વર્ષમાં એકવાર આવતા બાગાયત પાક (કેરી)નો પાંચ ટકા વીમા પ્રિમીયમ ચુકવવાનું નક્કી કરી સમાવેશ કરવામાં આવતા કેરી ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે.

પાક વીમા યોજનામાં કોઇપણ પાકની નુકશાનીનો સર્વે તાલુકાને આધાર બનાવી નુકશાનીની ટકાવારી મેળવાય છે. નવી નીતિમાં તાલુકાનાં બદલે ગામ દીઠ કેન્દ્ર બનાવી તપાસણી અને સર્વે કરાશે.

ગીરકચ્છ, વલસાડ પંથકને લાભ થશે

કેરીનુંઉત્પાદન સૌરાષ્ટ્રનાં ગીર પંથક ઉપરાંત અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં મળી સરેરાશ આઠ લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં પણ કેસર અને હાફુસ કેરીનું ઉત્પાદન થાય છે. તમામ વિસ્તારોને લાભ મળશે.

યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે |વડાપ્રધાન પાક વીમા યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મોબાઇલ મારફતે ખેડુતો તેમનાં પાક નુકશાન અંગે તરત ચકાસણી કરી શકશે.

તમામ જિલ્લાઓને જુથોમાં મુકાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં પ્રિમિયમનાં દરમાં એકરૂપતા લાવવા માટે ભારતનાં તમામ જિલ્લાઓને લાંબા સમય માટે જુથોમાં વિભાજીત કરવામાં આવશે.

તાલુકા દીઠ નહી ગામ દીઠ નુકસાનની ટકાવારી ચકાસાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં બાગાયત પાક કેરીનો સમાવેશ થતા કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને આર્થિક વળતર મળશે જેથી પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકડામણ અનુભવતા ખેડુતોને રાહત મળશે.ખેડુતો કેરીનાં આંબા કાપવાથી દુર થશે.

પાક વીમા યોજનાથી શું ફાયદો થશે ω?

પાક વીમામાં કેરીનો સમાવેશ થતા ગીર પંથક સહિત ગુજરાતનાં ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે : ખુશીનાં સમાચાર

No comments: